7th pay commission: DA ને લઇને આવી ગઇ ખુશખબરી, આ દિવસે મળશે 50 ટકા મોંઘવારી ભથ્થું!

7th pay commission DA Hike: કેન્દ્ર સરકારના કર્મચારીઓ (Central Government Employees) માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થું (DA Hike) વધારવા જઈ રહી છે, ત્યારબાદ કર્મચારીઓને મળતું DA 42 ટકાથી વધીને 50 ટકા થઈ જશે. 

7th pay commission: DA ને લઇને આવી ગઇ ખુશખબરી, આ દિવસે મળશે 50 ટકા મોંઘવારી ભથ્થું!

7th pay commission DA Hike: કેન્દ્ર સરકારના કર્મચારીઓ (Central Government Employees) માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થા (DA Hike)માં વધારો કરવા જઈ રહી છે, ત્યારબાદ કર્મચારીઓને મળતું DA 42 ટકાથી વધીને 50 ટકા થઈ જશે અને સીધો વધારો થશે. સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા (Dearness allowance) માં વર્ષમાં બે વખત વધારો કરવામાં આવે છે. માર્ચમાં જ સરકારે કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે સરકાર ક્યારે DA વધારવા જઈ રહી છે.

જુલાઇમાં થશે વધારો
તમને જણાવી દઇએ કે સરકારે માર્ચ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો કર્યો છે, ત્યારબાદ મોંઘવારી ભથ્થામાં 42 ટકા થઇ ગયો છે. આ વધારો જાન્યુઆરી 203 થી લાગૂ થયો. હવે જુલાઇ 2023 થી આગામી મોંઘવારી ભથ્થાની જાહેરાત થવાની છે. આશા છે કે આગામી વધારો પણ 4 ટકા થશે. 

પગારમાં બમ્પર વધારો થશે
તમને જણાવી દઈએ કે વધતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓના ભથ્થામાં સારો એવો વધારો થવાનો છે. કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (Dearness allowance) આવનારા સમયમાં સેલરી ઇંક્રીમેન્ટ લઇને આવી શકે છે. 

આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને મુશ્કેલીઓમાંથી મળશે રાહત, વ્યાપારિક મંદીની શક્યતા
આ પણ વાંચો: આ મહિને બની રહ્યો છે ગુરૂ ચાંડાલ યોગ, 7 મહિના સુધી આ રાશિઓને થશે મોટું નુકસાન
આ પણ વાંચો: સાચવજો! હોલમાર્ક વિના સોનાના વેચાણ પર પ્રતિબંધ : ઘરે રાખેલા ઘરેણાં પણ વેચી શકશો નહીં
50 ટકા પર પહોંચ્યા પછી શૂન્ય થઈ જશે DA
મોંઘવારી ભથ્થાનો નિયમ એવો છે કે જ્યારે સરકારે વર્ષ 2016માં 7મું પગાર પંચ લાગુ કર્યું ત્યારે તે સમયે મોંઘવારી ભથ્થું શૂન્ય કરી દેવામાં આવ્યું હતું. નિયમો અનુસાર, મોંઘવારી ભથ્થું 50 ટકા પર પહોંચતા જ તેને શૂન્ય કરી દેવામાં આવશે અને 50 ટકાના હિસાબે કર્મચારીઓને ભથ્થા તરીકે જે પૈસા મળશે તે મૂળ પગાર એટલે કે લઘુત્તમ પગારમાં ઉમેરવામાં આવશે.

પગારમાં 9000 રૂપિયાનો વધારો થશે
તમને જણાવી દઈએ કે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 18000 રૂપિયા છે તો તેને 50% DAના 9000 રૂપિયા મળશે. પરંતુ, DA 50% થયા પછી, તેને મૂળ પગારમાં ઉમેરવામાં આવશે અને ફરીથી મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news