આ મંદિરને હિન્દુઓની પેઢીઓ ક્યારેય નહીં ભૂલે! જાણો કેવું છે BAPSનું આ સ્વામિનારાયણ મંદિર?

Hindu Temple In Abu Dhabi: BAPSના આ હિન્દુ મંદિરનું 14 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. PM મોદી 13 ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં શેખ જાયદ સ્ટેડિયમમાં અહલાન મોદી કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. ત્યારપછી આ મંદિરનું ઉદ્ધાટન કરવા માટે અબુધાબી આવશે. 

આ મંદિરને હિન્દુઓની પેઢીઓ ક્યારેય નહીં ભૂલે! જાણો કેવું છે BAPSનું આ સ્વામિનારાયણ મંદિર?

Hindu Temple In Abu Dhabi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 અને 14 ફેબ્રુઆરીએ અબુધાબી અને દુબાઈના પ્રવાસે જઈ રહ્યા છે. 13 તારીખે UAEમાં વસતા ભારતીયોને સંબોધન કરશે. તો 14 તારીખે ઈસ્લામિક કન્ટ્રીના સૌથી મોટા હિન્દુ મંદિરનું ઉદ્ધાટન કરવાના છે. લાલ પથ્થરોથી બનેલી આ ભવ્ય મંદિર સપનાઓનું મંદિર કહીએ તો ખોટું નથી. કારણ કે તેને જે રીતે તૈયાર કરાયું છે તે પ્રશંસાને પાત્ર છે. કેવું છે BAPSનું આ હિન્દુ મંદિર?

અબુધાબીમાં જ્યાં ચારે બાજુ રેત જ રેત જોવા મળે છે તે રણમાં એક ભવ્ય, દિવ્ય અને નવ્ય હિન્દુ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. BAPSના આ હિન્દુ મંદિરનું 14 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. PM મોદી 13 ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં શેખ જાયદ સ્ટેડિયમમાં અહલાન મોદી કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. ત્યારપછી આ મંદિરનું ઉદ્ધાટન કરવા માટે અબુધાબી આવશે. 

  • પશ્ચિમ એશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર બનીને તૈયાર
  • ઈસ્લામિક દેશમાં ચારે બાજુ રેત વચ્ચે બન્યું ભવ્ય મંદિર
  • હિન્દુ આસ્થાનું પ્રતિક દિવ્ય, ભવ્ય અને નવ્ય મંદિર
  • 14 ફેબ્રુઆરીએ PM મોદી ઉદ્ધાટન કરે તેવી સંભાવના
  • પ્રેમ, પુરષાર્થ અને પવિત્રતાનું પ્રતિક BAPS મંદિર

આતુરતાનો અંત! પેટ્રોલ નહીં પાણીથી ચાલે છે આ સ્કૂટર, 1 લીટર ફ્યૂલમાં ચાલશે 55 કિ.મી

મંદિરનું ઉદ્ધાટન થાય તે પહેલા જેમની કલ્પનાથી રણમાં મંદિરનું સ્વપ્નું સાકાર થયું છે તે BAPS સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ અબુધાબી પહોંચ્યા હતા. જ્યાં તેમની અબુધાબીના રાજાએ ભવ્ય સ્વાગત કર્યું હતું. સાથે જ અનેક હરિભક્તોએ ગુરુ મહંત સ્વામીના આશીર્વાદ લીધા હતા. મહંત સ્વામી જ્યારે અબુધાબી પહોંચ્યા ત્યારે એક અલગ જ ઉત્સાહ અને અલગ જ માહોલ જોવા મળ્યો હતો. ઈસ્લામીક દેશ હિન્દુસ્તાનના રંગે રંગાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મહંત સ્વામીના આશીર્વાદ લેવા માટે વિશ્વના દિગ્ગજ ઉદ્યોગપતિ અને લલુ મોલના માલિક એમ.એ.યુસુફ અલી પણ આવ્યા હતા. યુસુફ અલીએ મહંતસ્વામીના દર્શન કરી ધન્યાતાની અનુભૂતિ કરી હતી. મહંત સ્વામીએ મંદિરની એક એક કલાકૃતિઓને નિહાળી હતી. તો હજારો હરિભક્તોએ પોતાના ગુરુના દર્શનનો લ્હાવો લીધો હતો. 

આ મંદિર પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર છે. 700 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું આ મંદિર વર્ષોના વર્ષો સુધી અડિખમ ઉભુ રહેશે. મંદિરમાં સાત અમીરાતોના પ્રતિનિધિત્વ કરનારી સાત મીનારો છે. મંદિરનું નિર્માણ 27 એકર જમીન પર કરાયું છે. મંદિર બનાવવા માટે રાજસ્થાનથી અબુધાબીમાં ગુલાબી પથ્થરો પહોંચાડાયા હતા. જેને UAEની ભીષણ ગરમી પણ કંઈ નહીં કરી શકે. 

મંદિરના નિર્માણ માટે રાજસ્થાનના ગુલાબી પથ્થરોની સાથે ઈટલીથી ખાસ સંગમરમર લાવવામાં આવ્યા હતા. કાર્બન ફુટપ્રિન્ટને ઓછી કરવા માટે મંદિરના પાયામાં કોંક્રિટના મિશ્રણની સાથે ફ્લાઈ એશનો ઉપયોગ કરાયો છે. એશિયાનું આ સૌથી મોટું મંદિર 32.92 મીટર ઉંચુ, 79.86 મીટર લાંબુ અને 54.86 મીટર પહોળું છે. મંદિર બનાવવા માટે 18 લાખ ઈંટનો ઉપયોગ કરાયો છે. 

કેવું છે મંદિર?

  • એશિયાનું આ સૌથી મોટું મંદિર 
  • 32.92 મીટર ઊંચુ 
  • 79.86 મીટર લાંબુ 
  • 54.86 મીટર પહોળું 
  • 18 લાખ ઈંટનો ઉપયોગ કરાયો 

50 વર્ષ બાદ અદ્ભુત સંયોગમાં થશે સૂર્ય ગોચર, આ જાતકોના શરૂ થશે અચ્છે દિન

દિવ્ય અને ભવ્ય આ મંદિરની મુલાકાતે થોડા દિવસ પહેલા જ 42 દેશના રાજદૂત પરિવાર સાથે આવ્યા હતા. UAEમાં ભારતના રાજદૂત સંજય સુધીરે તમામ રાજદૂતને આમંત્રણ આપ્યું હતું. તમામ રાજદૂતોએ મંદિરની કામગીરી પૂર્ણ થવા પર આનંદ વ્યક્ત કર્યો. સાથે જ કહ્યું કે એક સમયે અસંભવ લાગતું આ કામ વાસ્તવિક બની ગયું છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાએ દેશ અને વિદેશમાં 1200થી વધુ મંદિરનું નિર્માણ કરીને હિન્દુ ધર્મની પતાકા ચારે બાજુ લહેરાવી છે. ત્યારે ઈસ્લામિક કન્ટ્રીમાં બનનારુ આ મંદિરને હિન્દુઓની પેઢીઓ ક્યારે નહીં ભૂલે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news