કેનેડાના નાગરિકોને નો એન્ટ્રી, ખાલિસ્તાન પર તણાવ મુદ્દે ભારતે વિઝા પર લગાવ્યો પ્રતિબંધ

જોકે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી, પરંતુ કેનેડા વિઝા કેન્દ્રોને સંચાલન કરનાર બીએલએસ ઇન્ટરનેશનલે પોતાની વેબસાઇટ પર આ જાણકારી આપી છે. આ નોટિસમાં લખવામાં આવ્યું છે.

કેનેડાના નાગરિકોને નો એન્ટ્રી, ખાલિસ્તાન પર તણાવ મુદ્દે ભારતે વિઝા પર લગાવ્યો પ્રતિબંધ

India Canada Row: કેનેડાની સાથે ખાલિસ્તાન મુદ્દે ઉત્પન્ન થયેલા તણાવ વચ્ચે હવે ભારતે વધુ એક મોટી એક્શન લીધી છે. કેનેડાના નાગરિકો માટે ભારતે વિઝા સેવાઓને અનિશ્વિત કાળ સુધી બંધ દીધી છે. જોકે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી, પરંતુ કેનેડા વિઝા કેન્દ્રોને સંચાલન કરનાર બીએલએસ ઇન્ટરનેશનલે પોતાની વેબસાઇટ પર આ જાણકારી આપી છે. આ નોટિસમાં લખવામાં આવ્યું છે. ;ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ સૂચના: ઓપરેશનલ કારણોના લીધે ભારતની વિઝા સેવાઓ 21 સપ્ટેમ્બરથી આગામી સૂચના સુધી બંધ રહેશે. ભારતના એક વરિષ્ઠ રાજદૂતે આ વાતની પુષ્ટિ કરી છે. 

The ticker earlier said, "Due to operational reasons, with effect from 21 September 2023, Indian visa services have been suspended till further notice. Please keep checking BLS website… https://t.co/jfMR5wUKY0 pic.twitter.com/vCsJbE141y

— ANI (@ANI) September 21, 2023

બીએલએસ ઇન્ટનેશનલ- ઇન્ડીયા વિઝા એપ્લિકેશન સેન્ટર કેનેડા પરથી ટિકર હટાવી દેવામાં આવ્યું છે. ટિકરમાં પહેલાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય વિઝા સેવાઓ 21 સપ્ટેમ્બરથી આગામી સૂચના સુધી બંધ રહેશે. કૃપિયા આગળની અપડેટ માટે વેબસાઇટ જોતા રહો. 

નોંધનીય છે કે કેનેડાએ હવે ભારતમાં હાઈ કમિશનમાંથી તેના કેટલાક રાજદ્વારીઓને પાછા બોલાવવાનું શરૂ કર્યું છે. તેમનું કહેવું છે કે ભારતમાં અમારા રાજદ્વારીઓ જોખમમાં હોઈ શકે છે અને તેમને ધમકીઓ પણ મળી છે. એવામાં અમે સ્ટાફ ઓછો કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે તેમણે જ અગાઉ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી હતી. આ સિવાય સૌથી પહેલા એક ભારતીય રાજદ્વારીને કેનેડા છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જવાબમાં ભારતે પણ આવી જ કાર્યવાહી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news