દાઉદ અને તેની પત્નીને કોરોના વાયરસ? ડી-કંપનીના ખુલાસાથી PAKનો પર્દાફાશ

ગુપ્ત એજન્સીઓનો રિપોર્ટ છે કે ભારતનો મોસ્ટ વોન્ટેડ ભાગેડુ દાઉદ ઇબ્રાહિમ (Daud Ibrahim) અને તેની પત્ની કોવિડ -19 થી સંક્રમિત છે અને તેમને કરાચીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ, ડી-કંપનીના અન્ડરવર્લ્ડ ઓપરેશન અને તેના નાણાકીય બાબતોને અંકુશમાં રાખનાર દાઉદના ભાઈ અનીસ ઇબ્રાહિમે આવા અહેવાલોને નકાર્યા છે.
દાઉદ અને તેની પત્નીને કોરોના વાયરસ? ડી-કંપનીના ખુલાસાથી PAKનો પર્દાફાશ

નવી દિલ્હી: ગુપ્ત એજન્સીઓનો રિપોર્ટ છે કે ભારતનો મોસ્ટ વોન્ટેડ ભાગેડુ દાઉદ ઇબ્રાહિમ (Daud Ibrahim) અને તેની પત્ની કોવિડ -19 થી સંક્રમિત છે અને તેમને કરાચીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ, ડી-કંપનીના અન્ડરવર્લ્ડ ઓપરેશન અને તેના નાણાકીય બાબતોને અંકુશમાં રાખનાર દાઉદના ભાઈ અનીસ ઇબ્રાહિમે આવા અહેવાલોને નકાર્યા છે.

અનીસે અજાણ્યા સ્થાનથી ફોન પર જણાવ્યું કે, કોરોના વાયરસ (Coronavirus) એક ખતરનાક મહામારી છે, પરંતુ તેનો ભાઈ દાઉદ અને આખો પરિવાર તેનાથી પ્રભાવિત નથી. તેઓ તેમના પોતાના મકાનમાં છે. એક દુર્લભ વાતચીતમાં, માફિયા ડોને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને પાકિસ્તાનમાં વ્યવસાય ચલાવવાની કબૂલાત કરી હતી.

ગુપ્ત રિપોર્ટમાં અગાઉ કહેવામાં આવ્યું હતું કે, દાઉદ અને તેની પત્નીને કોરોના વાયરસથી સંક્રમિત છે. રિપોર્ટમાં એમ પણ બહાર આવ્યું છે કે તેના અંગત સ્ટાફ અને રક્ષકોને એકાંતવાસમાં રાખવામાં આવ્યા છે.

પાકિસ્તાનની જાસૂસ એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ) ની સુરક્ષામાં રહેતો દાઉદ ઇબ્રાહિમ કાસકર વિશે કહેવામાં આવે છે કે, તે કરાચીમાં રહે છે. દાઉદ 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ સહિતની સરહદના ગુનાના અનેક કેસોમાં આરોપી છે. ઇસ્લામાબાદે વર્ષોથી દાઉદ અને તેના પરિવારની પાકિસ્તાનમાં હાજરીને નકારી રહી છે.

ડી-કંપનીનો શાર્પ શૂટર અને ખંડણી તેમજ સટ્ટાબાજીના સિન્ડિકેટના ઇન્ચાર્જ છોટા શકીલ પણ કરાચીમાં રહે છે. અનીસે કહ્યું, ભાઈ (દાઉદ) ઠીક છે અને શકીલ પણ ઠીક છે. કોઈપણ કોરોના વાયરસથી સંક્રમિત નથી. અમારા પરિવારમાંથી કોઈપણ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ નથી.

અનીસથી જ્યારે તેના વર્તમાન સ્થાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે ચૂપ રહ્યો. દાઉદનો પરિવાર 1994થી પાકિસ્તાનના કરાચીમાં સ્થાયી થયો છે. તેના પરિવારમાં તેમની પુત્રી મહરૂખનો પણ સમાવેશ છે, જેણે પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર સાથે લગ્ન કર્યા છે.

ડી-કંપનીના વ્યૂહરચનાકાર અનીસ 1990ના દાયકાના પ્રારંભથી જ ચર્ચામાં છે, જ્યારે તેણે ફિલ્મસ્ટાર સંજય દત્તના મુંબઇ સ્થિત નિવાસસ્થાન પર હથિયારથી ભરેલું વાહન મોકલ્યું હતું. તેના પર દુબઈમાં તેના બેઝથી બોલિવૂડ ફિલ્મોને ફંડ આપવા અને ક્રિકેટમાં સટ્ટોની સિન્ડિકેટ ચલાવવાનો પણ આરોપ છે. તેની ધરપકડ થોડા વર્ષો પહેલા સાઉદી અરેબિયામાં કરવામાં આવી હતી, પરંતુ ભારતીય એજન્સીઓના હાથમાં આવે તે પહેલા જ ભાગવામાં સફળ રહ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news