પાકિસ્તાન: મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ નાળામાં ખાબકતા 24 લોકોના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક પ્રવાસી બસ નાળામાં ખાબકતા ઓછામાં ઓછા 24 લોકોના મોતના અહેવાલ છે.

પાકિસ્તાન: મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ નાળામાં ખાબકતા 24 લોકોના મોત

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક પ્રવાસી બસ નાળામાં ખાબકતા ઓછામાં ઓછા 24 લોકોના મોતના અહેવાલ છે. મીડિયાએ આ જાણકારી આજે આપી. ન્યૂઝ ઈન્ટરનેશનલના રિપોર્ટ મુજબ મહિલાઓ અને બાળકો સહિત 35 મુસાફરોને લઈને જઈ રહેલી બસ શુક્રવારે અપર કોહિસ્તાન જિલ્લામાં એક નાળામાં ખાબકી. 

જુઓ LIVE TV

મળતી માહિતી મુજબ તમામ મુસાફરો એક જ પરિવારના હતાં અને એક સમારોહમાં સામેલ થવા જઈ રહ્યાં હતાં. અકસ્માતના કારણોની તપાસ ચાલુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news