કેમ મિશન ચંદ્રયાન 2 છે ભારત માટે ખાસ, જુઓ વિશેષ ચર્ચા

ગણતરીની કલાકોમાં ઈસરો એક નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે.ભારતીય અવકાશ વિજ્ઞાનક્ષેત્રે ભારત વધુ એક વિક્રમ સ્થાપિત કરશે.ભારતનું પહેલું મૂન લેન્ડર અને રોવર સાથેનું મિશન ચંદ્રયાન-2 અવકાશી સફર શરૂ કરવા જઈ રહ્યું છે.આ મિશનનો ખર્ચ લગભગ 978 કરોડ રૂપિયા છે. જેમાં મૂન લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનું બજેટ જ 603 કરોડનું છે... ચંદ્રયાન-2ના લૉન્ચ વિહિકલ GSLV-MK3નું બજેટ 356 કરોડ રૂપિયા છે. ચંદ્રયાનની ચંદ્ર પર ઉતરવાની નિર્ધારિત તારીખ સપ્ટેમ્બરના 2019 મધ્યભાગમાં છે...ઈસરો IIT કાનપુરની મદદથી ચંદ્રયાન 2 લોન્ચ કરવામાં આવશે, જે ચંદ્રના દક્ષિણમાં જશે. IIT કાનપુર અને ઈસરો વચ્ચે વર્ષ 2009માં બે MOU સાઈન થયા હતા.ઉલ્લેખનીય છે કે આ પહેલા ચંદ્રયાન 15મી જુલાઈએ મધરાત્રે લોન્ચ થવાનું હતું, પરંતુ લોન્ચિંગ પહેલા જ યાંત્રિક ખામી જણાતા રોકી દેવાયું હતું. જો કે વૈજ્ઞાનિકોએ ખામીને તુરંત જ શોધીને ઝડપથી દૂર કરી હતી.

Trending news