સુરત: કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતાં નાસભાગ, 1નું મોત

સુરતમાં કંપનીઓ અને બિલ્ડીંગોમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. આવામાં સુરતના પાંડેસરા વિસ્તારમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. મારૂતી ડાઈંગ મીલની બાજુમાં આવેલી કેમીકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. આ આગે જોતજોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગને પગલે પાંડસેરા, સચીન, મજૂરી ગેટ, પલાસાણાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડે તેને બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. આગને પગલે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારણ કે, આગ લાગ્યા બાદ ઝેરી ગેસ વછૂટ્યો હતો, જેને કારણે સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી.

Trending news