સમાચાર ગુજરાત: એક ક્લિકમાં વાંચો રાજ્યના દરેક જિલ્લાના સમાચાર

ગુજરાતનાં રજુ થયેલા બજેટમાં નાયબ મુખ્યપ્રધાને ગુજરાતનાં મોટા ભાગનાં નાગરિકોને મુખ્યપ્રધાને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સરકારે આ વખતે મધ્યમવર્ગને પણ ખુશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાત સરકારે ગરીબ પરિવારોને પણ તુવેરદાળ આપવાની જાહેરાત કરી હતી. અન્ન અને નાગરિક પુરવઠ્ઠા વિભાગ દ્વારા 1271 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. નેશનલ ફુડ સિક્યુરિટી એક્ટનાં અમલ માટે 731 કરોડની જોગવાઇ કરી છે. હવે સરકાર દ્વારા રાહત દરે વેચાતા અનાજમાં તુવેરદાળનો ઉમેરો કરશે. જેથી હવે રેશનકાર્ડ દ્વારા મળતા અનાજોની સાથે સાથે તુવેરદાળ પણ આપવામાં આવશે.

Trending news