નાગપુરમાં RSSના પ્રમુખ મોહન ભાગવતે કરી શસ્ત્ર પૂજા

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના મુખ્યાલય નાગપુરમાં વિજયાદશમીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ અવસરે સંઘ પ્રમુખ મોહન ભાગવતે સવારે 7.40 વાગે શસ્ત્ર પૂજા કરી. આ અગાઉ કાર્યક્રમનો આરંભ પથસંચાલનથી થયો. સંઘના વિજયાદશમી ઉત્સવમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય મંત્રી વી કે સિંહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સામેલ થયા હતાં. આ વર્ષના કાર્યક્રમમાં શિવ નાડર, અધ્યક્ષ અને સંસ્થાપક HCL એ મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો.

Trending news