દિલ્હીમાં PM Modiની મહારેલી, લોકોને મકાનની માલિકીનો હક એનાયત થશે

પીએમ મોદી (PM Narendra Modi) આજે રામલીલા મેદાનમાં સવારે 11 વાગે ઐતિહાસિક જનસભાને સંબોધશે. જેમાં 11 લાખ લોકોના હસ્તાક્ષરવાળી એક કોપી તેમની ભેંટ આપવામાં આવશે. ભાજપની આ રેલીમાં એક તીરથી બે નિશાન સાધવાની કોશિશ કરવામાં આવી રહી છે. દિલ્હી (Delhi) ભાજપના નેતાઓએ આ રેલીને ધન્યવાદ રેલી નામ આપ્યું છે કારણ કે હાલમાં જ કેન્દ્ર સરકારે 1731 અનાધિકૃત કોલોનીઓમાં લોકોને તેમના મકાન અને ભૂખંડનો માલિકી હક આપવાનો નિર્ણય કર્યો છે. આ કામ બાદ લોકોને જે વર્ષોથી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે હવે ખતમ થશે.

Trending news