સિંહ સ્થળાંતર મામલે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો

ગીરના સિંહોને મધ્યપ્રદેશ મોકલવાને લઈ સુપ્રીમ કોર્ટમાં પિટિશન થઈ છે. સિંહો લુપ્ત ન થાય તે માટે બીજા ઘરની જરૂર હોવાની રજૂઆત પિટીશનમાં કરાઈ છે. ત્યારે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર, વન મંત્રાલયને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. 1989માં MPના કુનો અભ્યારણને સિંહો માટે તૈયાર કરાયું હતું, પરંતુ આજ સુધી સિંહોના સ્થળાંતર વિશે ચોક્કસ નિર્ણય કરાયો નથી. તો બીજી તરફ, અમરેલીમાં 4 સિંહ રોડ પર આવી ચઢ્યાનો વીડિયો વાયરલ થયો છે.

Trending news