પુલવામા આતંકી હુમલાને આજે 1 વર્ષ પૂર્ણ થયું, દેશભરમાં શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે

પુલવામા આતંકી હુમલાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે દેશભરમાં શહીદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવશે. ગત 14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકી હુમલામાં CRPF ના 44 જવાનો શહીદ થયા હતા. પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક કરીને બદલો લીધો હતો. આજે સમગ્ર દેશમાં ઠેર ઠેર શહીદોને શ્રદ્ધાંજિલ આપવાનો કાર્યક્રમ યોજાશે. જૈશ-એ-મોહંમગે પુલવામા આતંકી હુમલાની જવાબદારી લીધી હતી.

Trending news