બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં તીડના આક્રમણથી દોડતું થયું તંત્ર

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડ ફરીથી આવી પહોંચ્યા છે. વાવના કુંડળીયા અને રાધાનેસડામાં તીડના ઝુંડ આવ્યા છે. તીડ આવતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. ખેતીવાડી અધિકારી કુંડાળીયા જવા રવાના થયા છે. મોટાભાગના તીડો પાકિસ્તાન તરફ જતા રહ્યા હોવાનો ખેતીવાડી અધિકારીનો દાવો કર્યો છે. થોડા બચેલા તીડ છે તેને ઝડપી નિયંત્રણ કરી લેવાશે.

Trending news