જાણો નર્મદા સહિત ગુજરાતના તમામ ડેમ મહત્તમ સપાટી, બે વર્ષ સુધી પાણીની મુશ્કેલી નહીં સર્જાય

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમમાં જળ સપાટી ઐતિહાસિક સ્તરે પહોંચી છે. આજે ડેમની જળસપાટી 135.04 મીટરે છે અને ગુજરાતનું 70 વર્ષનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યુ છે. હાલ જે રીતે ડેમમાં પાણીની આવક છે. તેનાથી બે વર્ષ સુધી ગુજરાતને પાણીની મુશ્કેલી નહી થાય. ડેમમાં પાણીની એક લાખે 20 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક છે. ડેમમાંથી 59 હજાર 968 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. 1200 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતાના રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ ચાલુ કરાયા છે.

Trending news