સમાધિ ન લેવાની કાંતિલાલે કરી કબૂલાત, જાહેરમાં માગી ગ્રામજનોની માફી

મોરબીના પીપળીયા ગામના રહેવાસી કાંતિલાલ મુછડીયાએ જીવતા સમાધીની જાહેરાત કર્યા બાદ આખરે ફેરવી તોળ્યું છે. જો કે તેણે સમાધી લેવાની જાહેરાત કરતા જિલ્લા તંત્ર અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. કાંતિલાલ પર પોલીસ સતત વોચ રાખી રહી હતી. જો કે વિજ્ઞાન જાથા ઘટના સ્થળે પહોંચ્યું હતું. તેણે આ સમગ્ર મુદ્દે સમજાવટ બાદ અને કાયદાનો દંડો ઉગામ્યા બાદ મુછડીયાએ આખરે ફેરવી તોળ્યું હતું. તેણે સ્વિકાર્યું કે, જે સપના આવ્યા હતા અને પોતાને સમાધિનો આદેશ થયો છે તે વાતો ખોટી છે.

Trending news