ગિરનારના પહાડ પર નદીઓમાં પૂર આવ્યું, પૂરમાં ફસાયેલા 50 લોકોને બચાવાયા

હાલ સૌરાષ્ટ્રમાં મન મૂકીને મેઘો વરસી રહ્યો છે. જુનાગઢમાં પણ ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે ગરવા ગિરનારનો એક વીડિયો સામે આવ્યો છે. ભારે વરસાદને કારણે પહાડી પરથી ધોધમાર વરસેલા વરસાદી પાણી પડ્યુ હતું, જેમાં કેટલાક લોકો ફસાયા હતા. આ વીડિયો ગઈકાલનો છે. જુનાગઢમાં ધોધમાર વરસાદને પગલે ગિરનારના પહાડ ઉપર નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. પહાડી ઉપર આવેલા જટાશંકર પાસે પૂરના પાણીમાં કેટલાક લોકો ફસાયા હતા. નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા લોકોને પૂરથી બચાવાયા હતા. સ્થાનિક યુવાનો દ્વારા દોરડા વડે તમામ પર્યટકોને બચાવી લેવાયા હતા. જટાશંકર મંદિરે દર્શન કરવા આવેલા 50થી વધુ લોકો ફસાયા હતા હતા. એકબીજાને મદદ કરી તમામ લોકો હેમખેમ પૂરના પાણીમાંથી બહાર આવ્યા હતા.

Trending news