ગોધરાકાંડ: ગુજરાત વિધાનસભામાં આજે રજૂ થશે ગોધરાકાંડનો રિપોર્ટ

ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ગૃહમાં પ્રશ્નોતરી બાદ કેગનો અહેવાલ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભામાં આજે ગોધરા કાંડનો અહેવાલ રજૂ થશે. 10 વર્ષ બાદ નાણાવટી-મહેતા તપાસ પંચનો બીજો ભાગ વિધાનસભામાં મૂકાશે. 27 ફેબ્રુઆરી 2002માં 59 કાર સેવકોનાં મોત થયાં હતાં.

Trending news