જૂનાગઢમાં LRD પરીક્ષાર્થીના પિતાની આત્મહત્યા મામલે પરિવારે મૃતદેહ સ્વીકારવા કર્યો ઇન્કાર

જૂનાગઢમાં એલઆરડી ભરતીમાં પુત્રોને થયેલ અન્યાયને લઈને આધેડનો ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. એલઆરડીમાં પાસ થયા બાદ સર્ટિફિકેટ વેરિફિકેશન મુદ્દે બન્ને પુત્રોને અન્યાય થતા આધેડને લાગી આવ્યું હતું. મ્યાજર હુણ નામના વ્યક્તિએ સરકારી કચેરીમાં જ આપઘાત કર્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર પહોંચી આવ્યો હતો. જ્યાં પોલીસને સ્યુસાઈડ નોટ મળી આવી હતી.

Trending news