LRD ભરતીમાં અનામત મુદ્દે દિનેશ બાંભણિયાએ ઉચ્ચારી ઉપવાસ આંદોલનની ચીમકી

ગુજરાતમાં હાલ એલઆરડી ભરતી મુદ્દો વકર્યો છે. એક વર્ગની માંગ છે કે 1-8-18નો પરિપત્ર રદ કરાવમા આવે અને બીજા વર્ગની માંગ છે કે ન તો રદ કરવામાં આવે ન તો તેમાં સુધારો કરવામાં આવે. આ વચ્ચે ગઈકાલે સરકારે આ પરિપત્રમાં સુધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે સરકારની આ નવી જાહેરાતથઈ બિનઅનામત વર્ગની નારાજગી સામે આવી છે. આ મામલે પાસના નેતા દિનેશ બાંભણીયાએ આજથી અન્નજળ ત્યાગની જાહેરાત કરી છે. દિનેશ બાંભણિયા તેમજ બિન અનામત વર્ગની કેટલીક મહિલાઓ આજથી જ ઉપવાસ આંદોલન કરશે.

Trending news