અમદાવાદની કર્ણાવતી ક્લબના ભોજનમાંથી નીકળ્યો જીવતો વંદો...

અમદાવાદની બહુચર્ચિત કર્ણાવતી ક્લબના ભોજનમાંથી જીવતો વંદો નીકળવાનો બનાવ બન્યો છે. ભોજનમાંથી વંદો નીકળતા ક્લબના મેમ્બર્સ રોષે ભરાયા હતા. તેઓએ ગંદા રસોડામાં જઈને વીડિયો બનાવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયમાં વાયરલ થયો છે. ભોજનની ગુણવત્તા ખરાબ હોવાનો મેમ્બર્સે આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કર્ણાવતી ક્લબ માત્ર અમદાવાદ જ નહિ, ગુજરાતની પ્રતિષ્ઠિત ક્લબ છે. સૌથી વિશ્વસનીય માનવામાં આવતી ક્લબમાં જ આવા છીંડા સામે આવતા મેમ્બર્સનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.

Trending news