Budget2020 : પૂર્વ કેબિનેટ મંત્રી જયનારાયણ વ્યાસે બજેટ વિશે કહ્યું કે....

નાણામંત્રી નિર્મલા સીતારમણે ( nirmala sitharaman) વર્ષ 2020-21 માટેનું સામાન્ય બજેટ સંસદમાં રજુ કર્યું. પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રીએ સમાજના તમામ વર્ગો માટે મોટી જાહેરાતો કરી. પરંતુ જે જાહેરાતની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં તે બજેટ ભાષણના લગભગ 2 કલાક બાદ થઈ. નાણામંત્રીએ કહ્યું કે વિકાસ માટે ટેક્સ સંરચનામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યાં છે. કોર્પોરેટ ટેક્સને 15 ટકા કરાયો છે. આ ઉપરાંત નીચલા તબક્કાને અત્યાર સુધીની મોટી રાહત આપી છે. હકીકતમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ટેક્સ છૂટની જાહેરાત કરી છે. આ બજેટ બાદ અનેક નિષ્ણાંતોએ ઝી 24 કલાક સાથે બજેટ અંગે ચર્ચા કરી જેમાં નાણાકીય નિષ્ણાંત અને પૂર્વ કેબિનેટ મંત્રી જયનારાયણ વ્યાસે પણ બજેટના સારા ખોટા પાસા અંગે માહિતી આપી.

Trending news