પીએમ મોદીના ગુજરાત પ્રવાસના તમામ સમાચાર, જુઓ Big News

નર્મદા ડેમ (Narmada Dam)ના વધામણા કરીને અને ગરુડેશ્વરના દત્ત મંદિરમાં દર્શન-આરતી કર્યા બાદ પીએમ મોદી (PM Modi Live) સીધા ગાંધીનગર (Gandhinagar) પહોંચ્યા હતા. બહુ જ ઓછા દિવસો હોય છે જ્યાં પીએમ મોદી પોતાના માતા હિરાબા (Hiraba)ને મળતા હોય છે. તેમજ પોતાના જન્મદિવસ (Narendra Modi Birthday) પર માતાના આશીર્વાદ લેવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી. ત્યારે આ વખતે પણ તેઓ માતા હિરાબાના દર્શન કરવા માટે રાયસણ ખાતે આવેલા વૃંદાવન બંગલોમાં પહોંચ્યા હતા. જ્યાં માતા હિરાબાએ વ્હાલપૂર્વક દીકરાને શુદ્ધ ગુજરાતી ભોજન પિરસ્યું હતું. બંનેએ સાથે મળીને ભોજન લીધું હતું પીએમનો જન્મદિવસ હોઈ મોટી સંખ્યામાં પ્રશંસકો તેમના બંગલાના બહાર એકઠા થયા હતા. માતાના આશીર્વાદ બાદ પીએમનો કાફલો રાજભવન તરફ જવા રવાના થયો હતો.

Trending news