ભક્તિ સંગમ: અમદાવાદના ગ્યાસપુરમાં આવેલા સોમનાથ મહાદેવ

અમદાવાદના ગ્યાસપુર વિસ્તારમાં આવેલુ છે અતિ પ્રચીન અને પોરાણિક મહાદેવનું મદિર જે ઓળખાય છે સોમનાથ મહાદેવ ના નામ થી આ મદિર સાથે જોડાયેલો છે અનોખો ઈતિહાસ જેમાં આજ થી 1000 હજાર વર્ષ પહેલા અહી જૂની શાહવાડી ગામ આવેલું હતું જ્યાં માલધારી લોકો પોતાની ગયો ચરાવવા માટે આવતા હતા ત્યારે આ સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવની પૂજા કરતા હતા વણઝારા સમાજ ના લોકો અહી ગાયના દૂધ અને પાણી નો મહાદેવને અભિષેક કરતા હતા અને તે અભિષેક કરેલા પાણી દુધને જેના શરીર પર કોડ હોય તેના પર લગાવતા અને તેનાથી કોડ શરીર પરથી દુર થતા હતા ...સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ભાવી ભક્તો ની વહેલી સવારથી જ ભીડ જોવા લોકો લાંબી લાઈન માં ઉભા રહી ભોળા નાથના મનોહર રૂપના દર્શન કરે છે આ મદિર માં દર સોમવારે સાજે ભગવાનને વિવિધ ફૂલોના શણગાર કરવામાં આવે છે મદિર માં હવન કુંડ આવેલા છે તેમજ મદિર દ્વારા ગોશાળા આવેલી છે જેમાં 40 ગાયો છે જેના દુધનો ભગવાનને અભિષેક કરવામાં આવે છે.

Trending news