ભક્તિ સંગમ: ગણેશજીએ મૂષકને વાહન તરીકે કેમ પસંદ કર્યું?

ગજમુખાસુર નામના એક દૈત્યએ તેના પરાક્રમથી દેવતાઓને ખૂબ પરેશાન કરી તેમની સત્તા હથિયાવી લીધી હતી. તમામ દેવતાઓ તેનાથી ત્રસ્ત થઈને ભગવાન ગણેશ પાસે ગયા હતા જ્યાં ગણેશજીએ ગજમુખાસુરના આંતકથી તેમને મુક્તિ અપાવવાનું વચન આપ્યું હતું. ત્યારે ભગવાન ગણેશે ગજમુખાસુર સાથે યુદ્ધ કર્યું હતું. જેમાં ગણેશજીનો એક દાંત પણ તૂટી ગયો હતો ત્યારે ગજાનન એટલા રોષે ભરાઈ ગયા હતા કે તેમણે ગજમુખાસુર પર કરેલા વિનાશક પ્રહારથી તે ડરીને મૂષક રૂપ બનીને ભગવા જઈ રહ્યો હતો ત્યારે ભગવાને તેમને પકડી લીધો હતો. મૃત્યુના ભયથી તેણે ક્ષમા માગી એટલે શ્રીજીએ તેમને પોતાનું વાહન બનાવીને અભયદાન આપ્યું હતું.

Trending news