નીલકંઠ વિવાદમાં આવ્યો નવો વળાંક

મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચેના નીલકંઠ વિવાદ વચ્ચે ગુજરાતના જાણીતા લોક કલાકારો અને લેખકે સ્વામીનારાયણ સંપ્રદાયે આપેલા એવોર્ડ પરત કર્યા છે. લોક કલાકારો માયાભાઈ આહીર અને હનુભા ગઢવી તથા લેખક જય વસાવડાએ નીલકંઠ મુદ્દે મોરારીબાપુને સમર્થન આપીને એવોર્ડ પરત કર્યાં છે. ગુજરાતની આ જાણીતી હસ્તીઓએ સ્વામીનારાયણ સંપ્રદાયને એવોર્ડ પરત કરીને પોતાના નારાજગી વ્યક્ત કરી છે. આ કલાકારોએ વિવેક સ્વરૂપ સ્વામી સામે રોષ વ્યક્ત કર્યો છે.

Trending news