કૃષિ વિભાગના સર્વે સામે ખેડૂતોએ ઉઠાવ્યો સવાલ, કૃષિમંત્રીએ બોલાવી બેઠક

કમોસમી વરસાદ બાદ CM રૂપાણીના આદેશને પગલે કૃષિમંત્રી આર.સી.ફળદુએ તાત્કાલિક બેઠક બોલાવી છે. કૃષિ વિભાગના અધિકારીઓ સાથે બેઠક બોલાવી છે. કમોસમી વરસાદથી અસર થયેલા દરેક તાલુકા ના પ્રતિનીધીઓ બેઠકમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. કૃષિમંત્રી આર.સી.ફળદુ આ બેઠક બાદ ભાજપ સંગઠનમાં થી આવેલી વાસ્તવિક પરિસ્થિતિ નો રિપોર્ટ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપશે. રાજ્ય સરકાર તેના આધારે કમોસમી વરસાદથી નુકસાન થયેલા ખેડૂતો ને વહેલામાં વહેલી તકે કેવી રીતે વળતર આપી શકાય તે માટે પગલાં લેશે.

Trending news