સેમસંગ ઇનબોક્સ ફોન ચાર્જર વિના વેચશે સ્માર્ટફોન, ભાવમાં ઘટાડો થવાની સંભાવના

ચાર્જરને ત્યાગથી કંપની માટે ખર્ચમાં મોટો ઘટાડો થશે. તેનાથી કંપનીના વ્યાજબી ઉપકરણોની કિંમતમાં પણ ઘટાડો આવવાની સંભાવના રહેશે અને તેની સાથે ચાર્જર વિના કંપની ફોનની શિપિંગ નાના બોક્સમાં કરી શકશે

સેમસંગ ઇનબોક્સ ફોન ચાર્જર વિના વેચશે સ્માર્ટફોન, ભાવમાં ઘટાડો થવાની સંભાવના

સિયોલ: દક્ષિણ કોરિયાઇ ટેક્નોલોજી કંપની સેમસંગ કથિત રીતે આગામી વર્ષની શરૂઆતથી ઇન-બોક્સ ચાર્જર વિના સ્માર્ટફોન વેચવા અંગે વિચાર કરી રહી છે. કોરિયાઇ સમાચાર સાઇટ ઇટીન્યૂઝના રિપોર્ટ અનુસાર સ્માર્ટફોન નિર્માતાની યોજના તેને એટલા માટે બહાર નિકાળવાની યોજના છે કે કારણ કે ઘણા લોકો ઘરે પહેલાંથી જ ચાર્જર રાખે છે. 

ચાર્જરને ત્યાગથી કંપની માટે ખર્ચમાં મોટો ઘટાડો થશે. તેનાથી કંપનીના વ્યાજબી ઉપકરણોની કિંમતમાં પણ ઘટાડો આવવાની સંભાવના રહેશે અને તેની સાથે ચાર્જર વિના કંપની ફોનની શિપિંગ નાના બોક્સમાં કરી શકશે એટલે કે વિતરણ સહિત અન્ય ક્ષેત્રોમાં મોટી બચત થશે. સેમસંગ કોઇ એવી એકમાત્ર કંપની નથી જે ચાર્જરને બોક્સમાં સામેલ ન કરવાની દિશામાં વિચાર કરી રહી છે. 

ઘણા રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે કે એપ્પલની યોજના પણ આગામી આઇફોનના મોડલની સાથે પાવર એડપ્ટર અને એરપોડ્સ આપવાની નથી અને તેની સાથે ડિવાઇસની શિપિંગ ફક્ત ચાર્જિંગ કેબલની સાથે આવશે. વિશેષજ્ઞોના અનુસર તેનાથી કિંમતમાં ઘટાડો થવાની સંભાવના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news