Providing News

દેશ પર આવી પડેલી આ સંકટની ઘડીએ અનેક સેવાભાવી સંસ્થાઓ ગરીબોની વહારે
મહામુસીબતના સમયમાં નિર્દોષ લોકોની સેવા પ્રભુનગર સોસાયટીના લોકોએ માસ્ક બનાવી સોસાયટીમાં વહેચી ઘરમાં રહેવાની અપીલ કરી હતી. સમગ્ર વિશ્વમાં કોરાનાની દહેશત છે ત્યારે કોરાના વાયરસ ભારતમાં દેખાતા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતના સુરતમાં પણ કોરાનાના પોઝીટીવ કેસ નોધાતા ફફડાટ મચી ગયો છે. લેભાગુ લોકો માસ્ક બ્લેકમાં વેચી રહ્યા છે ત્યારે આવા સમયે સુરતના મુળદ ગામની પ્રભુનગર સોસાયટીના લોકો ઘરેઘરે માસ્ક બનાવી લોકોને વિતરણ કરી સમાજસેવા કરી રહ્યા છે. સોસાયટીની મહિલાઓ અને યુવાનો આ મહામુસીબતના સમયમાં સમાજસેવા કરી રહ્યા છે. પ્રભુનગર સોસાયટીના રહીશો માસ્ક બનાવી ઘરે ઘરે વિતરણ કરી રહ્યા છે.
Mar 24,2020, 23:52 PM IST

Trending news