પથ્થરમારાની કાર્યવાહી News

વડોદરામાં પોલીસ આકરાપાણીએ: તમામ ખર્ચ તોફાનીઓ પાસેથી વસુલવામાં આવશે
વડોદરાના હાથીખાનામાં પોલીસ પર પથ્થરમારો કરનારા લોકો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી આરંભી છે. વડોદરા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 40 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા તમામ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા માટે યુપી પોલીસની જેમ કાર્યવાહી આરંભી છે. વડોદરા પોલીસે તોફાની તત્વોની ઓળખ કરવામાં આવી રહી છે. તમામ પાસેથી થયેલા નુકસાનનાં નાણા વસુલવામાં આવશે. પોલીસ દ્વારા 40 હજાર જેટલા થયેલા નુકસાન અંગે તોફાનીઓને નોટિસ ફટકારવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં પથ્થરમારાના કારણે પોલીસનાં વાહન સહીત જાહેર પ્રોપર્ટીનું 40 હજાર જેટલું નુકસાન થયું હતું. યુપીમાં પણ આ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. 
Jan 1,2020, 20:03 PM IST

Trending news