ગુજરાતી ન્યૂઝ 1 News

સુરતના રત્ન કલાકારોને વતન મોકલવાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય
સુરતના રત્ન કલાકારો માટે પણ સારા સમાચાર આવ્યા છે. રત્ન કલાકારો (dimond workers) ને સૌરાષ્ટ્ર મોકલવા મુદ્દે આજે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં સુરત (Surat) માં ફસાયેલા રત્ન કલાકારોને કઈ રીતે સૌરાષ્ટ્ર મોકલી શકાય તે અંગે ચર્ચા વિચારણા થઈ હતી. ત્યારે બેઠકમાં નિર્ણય લેવાયો કે, આવતીકાલથી રત્ન કલાકારોને સુરત મોકલવા માટે રજિસ્ટ્રેશન કરાશે. તેમજ પરમ દિવસથી બસોને રવાના કરાશે. ગુરુવારથી લકઝરી બસો દ્વારા રત્ન કલાકારોને લઈ જવાશે. જે માટે આવતીકાલે રજિસ્ટ્રેશન કરાશે, કલેક્ટરની મંજૂરી બાદ જ રત્ન કલાકારો વતન જઈ શકશે. જે-તે ગામમાં મજૂરોનું લિસ્ટ તૈયાર કરાશે. આ લિસ્ટ ગ્રામ પંચાયત બાદ તાલુકામાં મોકલાશે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં કામ કરતા મોટાભાગના રત્ન કલાકારો સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાના રહેવાસી છે, જેઓએ પોતાના વતન જવા માટે માંગ કરી હતી. 
May 5,2020, 12:23 PM IST

Trending news