IND vs ENG: ઈંગ્લેન્ડ સામે પ્રથમ બે ટેસ્ટમાં નહીં રમે વિરાટ કોહલી, બીસીસીઆઈએ આપી માહિતી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે. સ્ટાર બેટર વિરાટ કોહલી પ્રથમ બે ટેસ્ટમાં રમશે નહીં. 
 

IND vs ENG: ઈંગ્લેન્ડ સામે પ્રથમ બે ટેસ્ટમાં નહીં રમે વિરાટ કોહલી, બીસીસીઆઈએ આપી માહિતી

હૈદરાબાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં શરૂ થશે. આ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી અંગત કારણોસર પ્રથમ બે ટેસ્ટ મેચ રમી શકશે નહીં. ભારતીય ક્રિકેટ બોર્ડે આ માહિતી આપી છે. 

અંગત કારણોસર લીધો નિર્ણય
વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝના શરૂઆતી બે મુકાબલામાં અંગત કારણોસર પોતાનું નામ પરત લીધુ છે. ભારતીય ક્રિકેટ બોર્ડે નામ પરત લેવાની જાણકારી આપી છે. બીસીસીઆઈએ વિરાટ કોહલીને લઈને એક અખબારી યાદી જાહેર કરી, જેમાં ભારતીય બેટર દ્વારા નામ પરત લેવાની જાણકારી આપવામાં આવી છે. 

અખબારી યાદીમાં ભારતીય ક્રિકેટ બોર્ડે કહ્યું- વિરાટ કોહલીએ અંગત કારણોનો હવાલો આપતા બીસીસીઆઈને ઈંગ્લેન્ડ વિરુદ્ધ આગામી ટેસ્ટ સિરીઝના શરૂઆતી મુકાબલામાં નામ પરત લેવાની વિનંતી કરી હતી. 

આગળ લખવામાં આવ્યા- વિરાટ કોહલીએ કેપ્ટન રોહિત શર્મા, ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો સાથે વાત કરી અને ભારત આપીને કહ્યું કે દેશનું પ્રતિનિધિત્વ કરવું તેની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે, કેટલીક અંગત સ્થિતિ તેમની ગેરહાજરી માટે માંગ કરે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news