PBKS vs GT Playing 11: પંજાબ-ગુજરાતની વચ્ચે મુકાબલો, પ્લેઇંગ 11 માં થઇ શકે છે આશ્વર્યજનક ફેરફાર

IPL 2024 PBKS vs GT: પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે મુલ્લાંપુરમાં મેચ રમાશે. પંજાબે ગત મુકાબલામાં ગુજરાતને હરાવ્યું હતું. 

PBKS vs GT Playing 11: પંજાબ-ગુજરાતની વચ્ચે મુકાબલો, પ્લેઇંગ 11 માં થઇ શકે છે આશ્વર્યજનક ફેરફાર

IPL 2024 PBKS vs GT: પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે મુલ્લાંપુરમાં મેચ રમાશે. આઇપીએલ 2024 ના 37મા મુકાબલામાં બંને ટીમો એકબીજા વિરૂદ્ધ મેદાન પર ઉતરશે. પંજાબે ગુજરાતને ગત મુકાબલામાં હરાવ્યું હતું. હવે શુભમન ગિલની કેપ્ટનશિપવાળી ટીમ બદલવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે. પંજાબના નિયમિત કેપ્ટન શિખર ધવન ઇજાગ્રસ્ત છે. જોકે ગુજરાત વિરૂદ્ધ પણ સેમ કરન ટીમની કેપ્ટનશિપ કરી શકે છે. ગુજરાત અને પંજાબની ટીમો આ મુકાબલા માટે પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે. 

પંજાબના દિગ્ગજ ખેલાડી શિખર ધવન ઇજાગ્રસ્ત છે. તે ગુજરાત વિરૂદ્ધ મેચ પહેલાં ટ્રેનિંગ માટે પહોંચ્યા ન હતા. તેમની ગેરહાજરીમાં પ્રભસિમરન સિંહને ઓપનિંગની તક આપવામાં આવી શકે છે. અથર્વ તાયડે પણ વિકલ્પના રૂપમાં થશે. ટીમ રાઇલી રૂસો પર પણ વિશ્વાસ મુકી શકે છે. પંજાબ માટે આશુતોષ શર્માના દમદાર પ્રદર્શન કર્યું હતું. તેમની જગ પ્લેઇંગ ઇલેવનમાં લગભગ નક્કી છે. 

ગુજરાતને ગત મેચમાં દિલ્હી કેપિટલ્સે હરાવ્યું હતું. તો બીજી તરફ પંજાબે 3 વિકેટથી હરાવ્યું હતું. હવે ટીમ જીતના ઇરાદે મેદાનમાં ઉતરશે. જોકે તેના માટે મુલ્લાંપુરમાં જીત સરળતાથી થશે. ગુજરાત માટ રશિદ ખાન કમાલ બતાવી શકે છે. તે આ મુકાબલામાં મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. ટીમ અભિનવ મનોહર અને ડિવડ મિલરને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપી શકે છે. રાહુલ તેવટિયા પર પણ વિશ્વાસ મુકી શકાય છે. 

પંજાબ-ગુજરાત મેચ માટે સંભવિત ખેલાડી
પંજાબ કિંગ્સ:
પ્રભસિમરન સિંઘ/અથર્વ તાયડે, રિલે રૂસો, સેમ કુરાન (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, શશાંક સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ.

ગુજરાત ટાઇટન્સઃ શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), સાઈ સુદર્શન, અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ/અઝમતુલ્લા ઓમરઝાઈ, સ્પેન્સર જોન્સન, સંદીપ વોરિયર.

મેચ દરમિયાન કેવું રહેશે હવામાન? 
ગુજરાત અને પંજાબ વચ્ચેની ટક્કર ચંદીગઢના મુલ્લાનપુર સ્થિત મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. ચંદીગઢના મુલ્લાનપુરમાં આજે એટલે કે રવિવારે (21 એપ્રિલ) વરસાદની કોઈ શક્યતા નથી. સાંજે એટલે કે મેચના સમયે 20-25 ટકા ભેજ રહેશે. આ સમયગાળા દરમિયાન તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે પવન 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. આવી સ્થિતિમાં પંજાબ અને ગુજરાત વચ્ચે રમાનારી મેચમાં વરસાદ કોઈપણ પ્રકારનો અવરોધ નહીં બને તે સ્પષ્ટ છે.

આ સિઝનમાં અત્યાર સુધી કેવું રહ્યું ગુજરાતનું પ્રદર્શન
શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે આ સિઝનમાં અત્યાર સુધીમાં 7 મેચ રમી છે, જેમાં તેણે 3માં જીત અને 4માં હારનો સામનો કરવો પડ્યો છે. આ સ્થિતિ બાદ ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. ગુજરાતે અત્યાર સુધીમાં મુંબઈ ઈન્ડિયન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ સામે જીત નોંધાવી છે. ગુજરાતે તેની છેલ્લી મેચ દિલ્હી કેપિટલ્સ સામે રમી હતી, જેમાં તેનો 6 વિકેટે પરાજય થયો હતો.

આવું રહ્યું પંજાબ કિંગ્સનું પ્રદર્શન
શિખર ધવનની કેપ્ટનશિપવાળી પંજાબ કિંગસ અત્યાર સુધી હાલની સીઝનમાં નબળી જોવા મળી છે. ટીમે અત્યાર સુધી 7 મેચ રમી છે, જેમાં તેને ફક્ત 2 જીત મળી, જ્યારે 5 મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબે અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વિરૂદ્ધ જીત નોંધાવી છે. ટીમે ગત ત્રણ મેચ હૈદરાબાદ, રાજસ્થાન અને મુંબઇ વિરૂદ્ધ ગુમાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news