Ind vs SL: ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં, કૃણાલ પંડ્યા બાદ હવે આ બે ખેલાડી પણ કોરોના પોઝિટિવ

ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. વાત જાણે એમ છે કે કૃણાલ પંડયા કોરોના પોઝિટિવ થયા બાદ ભારતના વધુ બે ક્રિકેટરો કોરોના સંક્રમિત થયા છે.

Ind vs SL: ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં, કૃણાલ પંડ્યા બાદ હવે આ બે ખેલાડી પણ કોરોના પોઝિટિવ

કોલંબો: ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. વાત જાણે એમ છે કે કૃણાલ પંડયા કોરોના પોઝિટિવ થયા બાદ ભારતના વધુ બે ક્રિકેટરો કોરોના સંક્રમિત થયા છે. યુજવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

ચહલ અને ગૌતમને થયો કોરોના
અત્રે જણાવવાનું કે શ્રીલંકા વિરુદ્ધ બીજી ટી-20 અગાઉ હાર્દિક પંડ્યાનો ઓલરાઉન્ડર ભાઈ કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત થયો. ત્યારબાદ તેના સંપર્કમાં આવનારા 8 ખેલાડીઓને આઈસોલેશનમાં મોકલી દેવાયા. હવે મોટા સમાચાર એ આવ્યા છે કે યુજવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમને પણ કોરોના થયો છે. 

— ANI Digital (@ani_digital) July 30, 2021

કૃણાલને કોરોના થતા બદલવી પડી ટીમ
ટીમ ઈન્ડિયાના બાકી ખેલાડી હાર્દિક પંડ્યા, પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, દીપક ચાહર, અને ઈશાન કિશનને પણ અલગ થલગ રાખવામાં આવ્યા હતા. આ તમામ ખેલાડીઓ શ્રીલંકા વિરુદ્ધ બીજી અને ત્રીજી ટી20 મેચનો ભાગ નહતા. કૃણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અડધા કરતા વધુ ટીમ ઈન્ડિયાને બદલવી પડી, જે ટીમ માટે ઘાતક સાબિત થયું. 

શ્રીલંકામાં જ રહેશે આ ખેલાડીઓ
શ્રીલંકાએ આ વાતનો ફાયદો ઉઠાવતા ખેલાડીઓની કમી સામે ઝઝૂમી રહેલી નબળી ટીમ ઈન્ડિયાને ટી20 સિરીઝમાં 2-1થી હરાવી. યુજવેન્દ્ર ચહલ, કૃષ્ણપ્પા ગૌતમ, કૃણાલ સહિત બાકી છ ખેલાડીઓ હાલ શ્રીલંકામાં જ રહેશે. હાર્દિક પંડ્યા, પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, દીપક ચાહર, અને ઈશાન કિશને પણ હાલ શ્રીલંકામાં જ રહેવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news