Bad Time: તમારો BAD TIME શરૂ થવાનો હોય ત્યારે મળે છે આ સંકેત, આ ઇશારા સમજીને થઇ જજો સાવધાન

Signs of bad luck: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખરાબ સમય આવતા પહેલા જ વ્યક્તિને કેટલાક સંકેત મળવા લાગે છે. જો આ સંકેતોને સમયસર સમજી લેવામાં આવે તો વ્યક્તિ ખરાબ દિવસો માટે તૈયાર રહી શકે છે.

Bad Time: તમારો BAD TIME શરૂ થવાનો હોય ત્યારે મળે છે આ સંકેત, આ ઇશારા સમજીને થઇ જજો સાવધાન

Bad Time Coming Signs: જેમ દરેક સવાર પછી રાત આવે છે અને દરેક રાત પછી સવાર આવે છે. તેવી જ રીતે જીવનમાં પણ સુખ-દુઃખ, ખરાબ અને સારા સમય આવે છે અને જાય છે. જો કે, કોઈ પણ ઈચ્છતું નથી કે તેના જીવનમાં ક્યારેય ખરાબ સમય આવે. આ માટે વ્યક્તિ નિયમિત રીતે પૂજા કરે છે અને વિવિધ પ્રકારના ઉપાય કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખરાબ સમય આવતા પહેલા જ વ્યક્તિને કેટલાક સંકેત મળવા લાગે છે. જો આ સંકેતોને સમયસર સમજી લેવામાં આવે તો વ્યક્તિ ખરાબ દિવસો માટે તૈયાર રહી શકે છે.

આરતી
મોટાભાગના લોકો ઘરમાં દરરોજ સવાર-સાંજ પૂજા-પાઠ અને આરતી કરે છે. જ્યારે મોટાભાગે આરતી કરતી વખતે દિવો ઓલવાય છે તો એ વાત તરફ ઇશારો હોય છે કે ખરાબ સમય નજીક છે. 

તુલસી
એવી માન્યતા છે કે ઘરમાં લાગેલો તુલસીનો છોડ જેટલો લીલોછમ રહેશે, પરિવારમાં એટલી જ સુખ-સમૃદ્ધિ બની રહેશે. તો બીજી તરફ તુલસીનો છોડ અચાનક સુકાવવા લાગે છે તો તેનો અર્થ એ છે ક ખરાબ સમય શરૂ થવાનો છે. 

સોનું
જ્યોતિષ શાસ્ત્રમાં સોનાની વસ્તુ ખોવાઇ જવી અશુભ ગણવામાં આવે છે. તો બીજી તરફ તમારી સોનાની કોઇ વસ્તુ અચાનકથી ખોવાઇ જાય છે તો તેનો અર્થ છે કે ઘરમાં મુશ્કેલીઓનો ઢગલો થઇ જશે. 

ઘી
ઘીને સમૃદ્ધિનું પ્રતિક ગણવામાં આવે છે. એવામાં જ્યારે હાથમાંથી અચાનક ઘીનો ડબ્બો પડી જાય છે તો આ પણ ખરાબ સમય તરફ ઇશારો થાય છે. આ વાતને નજરઅંદાજ ન કરતાં સમય રહેતા સાવધાન થઇ જાવ. 

ઉંદર
આમ તો ઘરોમાં ઉંદર આવવો એક સામાન્ય વાત છે, પરંતુ જો ઘરમાં અચાનક મોટી સંખ્યામાં કાળા રંગના ઉંદર આવવા લાગે છે ખરાબ સંકેત હોય છે. તેનો અર્થ એ છે કે કોઇ મોટું સંકટ તમારે રાહ જોઇ રહ્યું છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ  પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી. )   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news