Vastu Tips: ઘી કે તેલ કઈ વસ્તુથી દીવો પ્રગટાવવો મનાઈ છે શુભ, આ છે પૂજાના મુખ્ય નિયમ

દીવો પ્રગટાવવો હિંદુ ધર્મમાં ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. કોઈ પણ પૂજા પાઠ અથવા શુભકાર્ય કરતા પહેલાં દીવો પ્રગટાવીને ભગવાનને પ્રસન્ન કરવામાં આવે છે.

Vastu Tips: ઘી કે તેલ કઈ વસ્તુથી દીવો પ્રગટાવવો મનાઈ છે શુભ, આ છે પૂજાના મુખ્ય નિયમ

Vastu Shastra: દીવો પ્રગટાવ્યા વગર કોઈ પૂજા સફળ નથી મનાતી અને તેનું ફળ પણ નથી મળતું. શાસ્ત્રોમાં દીવો પ્રગટાવવાના અનેક ફાયદાઓ મળે છે. ઘરના મંદિરમાં દરરોજ દીવો પ્રગટાવવાથી પોઝિટિવ એનર્જી આવે છે. સાથે જ નેગેટિવ એનર્જી પણ દૂર થાય છે. પરંતુ શું તમે જાણો કે, ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવો શુભ મનાઈ છે કે તેલનો દીવો. આજે અમે તમને આ વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપીશું.

ઘીનો દિવો પ્રગટાવવાના ફાયદાઃ
ઘર હોય કે મંદિર દીવાની જ્યોત વિના પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. દીવાથી ભગવાન પ્રસન્ન થાય છે. જો આ દીવો ઘીનો બનેલો હોય તો તે ભગવાનને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘીનો દીવો ઘરમાં કે મંદિરમાં પ્રગટાવીને દેવી-દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. તેની સાથે જ ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે અને સુખ-શાંતિનો વાસ રહે છે. તેનાથી ઘરની વાસ્તુ દોષો પણ દૂર થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર રહે છે.

તેલનો દીવો પૂર્ણ કરે છે મનોકામનાઃ
જો તમે તમારી મનોકામના પૂર્ણ કરવા માગો છો તો સરસોના તેલનો દીવો ભગવાનની સામે પ્રગટાવો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેનાથી જાતકની ઈચ્છા પૂરી થઈ શકે છે. તે સિવાય શનિવારે મંદિર અથવા પીપળાના વૃક્ષે તેલનો દીવો પ્રગટાવવાથી શનિ દેવની પીડાથી મુક્તિ મળે છે. ધ્યાન રાખો કે, ખંડિત દીવો શુભ માનવામાં નથી આવતો. 

દીપ પ્રગટાવતા સમયે રાખો દિશાનું ધ્યાનઃ
ઘીનો દીવો અથવા તો તેલનો દીવો પ્રગટાવતા સમયે હંમેશા દિશાનું ધ્યાન રાખો. ભૂલથી પણ દીવો ખોટી દીશામાં પ્રગટાવવાથી નુકસાન થઈ શકે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે, ખોટી દીશામાં દીવો રાખવાથી નુકસાન વેઠવાનો વારો આવે છે. આર્થિક નુકસાનની સાથે તમારે માનસિક સમસ્યાઓમાંથી પણ પસાર થવું પડી શકે છે. જ્યારે પણ દીવો પ્રગટાવો તો તેને પશ્ચિમ દિશામાં જ રાખો. આવું કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવી શકે છે.

(નોંધઃ અહીં આપેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ નથી કરતું)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news