Surya Grahan 2024: હોળી બાદ દુર્લભ સૂર્યગ્રહણ, 7.5 મિનિટ નહી દેખાય સૂર્ય, ધોળા દિવસે કશું નહી દેખાય

Solar Eclipse 2024: ગ્રહણના એક દિવસ પહેલા, ચંદ્ર તેના સૌથી નજીકના બિંદુએ પૃથ્વીની સૌથી નજીક આવશે, જે ખગોળીય ઘટના સમયે તે માત્ર 3,60,000 કિલોમીટર દૂર રહેશે. જોકે આ રીતે ચંદ્ર સૂર્યને ઢાંકી દેશે, જેના કારણે ગ્રહણને કારણે 7.5 મિનિટ સુધી સૂર્ય દેખાશે નહીં, જે એક દુર્લભ ઘટના છે.

Surya Grahan 2024: હોળી બાદ દુર્લભ સૂર્યગ્રહણ, 7.5 મિનિટ નહી દેખાય સૂર્ય, ધોળા દિવસે કશું નહી દેખાય

Surya Grahan 2024: હોળીના 15 દિવસ પછી એટલે કે ચૈત્ર અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ સર્જાશે. આ સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ હશે, કારણ કે છેલ્લા 50 વર્ષમાં આવું ગ્રહણ થયું નથી. આ ગ્રહણ શા માટે કહેવામાં આવે છે કે છેલ્લા 50 વર્ષ બાદ આવું ગ્રહણ થઈ રહ્યું છે આ વર્ષે 8 એપ્રિલે એટલે કે ચૈત્ર નવરાત્રિના દિવસે સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ છેલ્લી અડધી સદીમાં સૌથી લાંબુ સૂર્યગ્રહણ હશે. આ પૂર્ણ ગ્રહણ દરમિયાન સોલર ડિસ્કને કવર કરી લેશે અને ધોળા દિવસે રાત થઇ જશે.

એક દુર્લભ ગ્રહણ
ગ્રહણના એક દિવસ પહેલા, ચંદ્ર તેના સૌથી નજીકના બિંદુએ પૃથ્વીની સૌથી નજીક આવશે, જે ખગોળીય ઘટના સમયે તે માત્ર 3,60,000 કિલોમીટર દૂર રહેશે. જોકે આ રીતે ચંદ્ર સૂર્યને ઢાંકી દેશે, જેના કારણે ગ્રહણને કારણે 7.5 મિનિટ સુધી સૂર્ય દેખાશે નહીં, જે એક દુર્લભ ઘટના છે. છેલ્લી વખત આટલા લાંબા સમય સુધી 1973માં સૂર્ય આટલી વાર સુધી દેખાયો ન હતો, જે આફ્રીકી મહાદ્રીપ પર જોવા મળ્યું હતું. 

સૂર્ય ગ્રહણ ક્યારે હોય છે?
જ્યારે સૂર્, ચંદ્રમા અને પૃથ્વી એક રેખામાં હોય અને ચંદ્રમા થોડા સમય માટે પૂર્ણ રૂપથી સૂર્યના પ્રકાશને ઢાંકી લે અને પૃથ્વી સુધી ન પહોંચવા દે ત્યારે સૂર્ય ગ્રહણ લાગે છે. તેનાથી સૂર્યનો પ્રકાશ ધરતી પર આવતો નથી અને અંધારૂ છવાય જાય છે, તેને સૂર્ય ગ્રહણ કહે છે.

સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ
8 એપ્રિલે લાગનાર સૂર્ય ગ્રહણ સૌથી લાંબુ રહેવાનું છે. તે છેલ્લા 50 વર્ષનું સૌથી લાંબુ પૂર્ણ સૂર્ય ગ્રહણ હશે. ખગોળશાસ્ત્રીઓ અનુસાર વર્ષ 2024નું પ્રથમ સૂર્ય ગ્રહણ લગભગ સાડા સાત મિનિટનું રહેશે. એટલે કે આ સમય દરમિયાન અંધારૂ રહેશે. ત્યારબાદ 2150માં સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ લાગશે. 

સૂર્ય ગ્રહણ 2024નો સમય
સૂર્ય ગ્રહણ 8 એપ્રિલે બપોરે સવા 2 કલાકે શરૂ થશે અને 2 કલાક 25 મિનિટ સુધી રહેશે. આ વચ્ચે સાત મિનિટનો એવો સમય રહેશે, જ્યારે અંધારૂ છવાઈ જશે. 

સૂર્ય ગ્રહણની ભારત પર અસર
8 એપ્રિલે લાગી રહેલું સૂર્ય ગ્રહણ મેક્સિકો, અમેરિકા, કેનેડા, મોન્ટાના, નોર્થ ડકોટા, સાઉથ ડકોટામાં જોવા મળશે. પરંતુ તે ભારતમાં દેખાશે નહીં. એટલે તેનો સૂતક કાળ પણ માન્ય હશે નહીં. 

સૂર્ય ગ્રહણમાં શું ન કરવું જોઈએ?
હિન્દુ ધર્મમાં સૂર્ય ગ્રહણને સારૂ માનવામાં આવતું નથી. ગ્રહણ કાળમાં પૂજા-યજ્ઞ, ખાવું-પીવું, શુભ કાર્યો વર્જિત હોય છે. સાથે ગર્ભવતી મહિલાઓને સૂર્ય ગ્રહણ જોવાની મનાઈ હોય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news