શિવ ભક્તો ખાસ જાણી લે આ વાત, ભગવાન શિવને બદલે શિવલિંગની પૂજા કેમ કરાય છે? અહીં જાણો કારણ

Mahashviratri 2024 : મહાશિવરાત્રી 8મી માર્ચે આવી રહી છે. એવામાં આવો જાણીએ આ દિવસે શિવલિંગની પૂજાનું શું મહત્વ છે તે જાણવુ જરૂરી છે, પરંતુ તમને એવો વિચાર આવ્યો હશે કે ભગવાન શિવને બદલે શિવલિંગની પૂજા કેમ થાય છે, તો આ રહ્યું કારણ

શિવ ભક્તો ખાસ જાણી લે આ વાત, ભગવાન શિવને બદલે શિવલિંગની પૂજા કેમ કરાય છે? અહીં જાણો કારણ

Mahashviratri Par Shivling Puja : 8 માર્ચને શુક્રવારે મહાશિવરાત્રીનો મહા તહેવાર આવશે. આ દિવસ દરેક ભારતીય માટે મહત્વ ધરાવે છે. આ દિવસે શિવ મંદિરોમાં ભીડ જામે છે. તો લોકો વ્રત રાખે છે. આ દિવસે ખૂબ ભાંગ પીવાય છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાની વિશેષ વિધિ કરવામા આવે છે. ખાસ કરીને શિવલિંગની પૂજાનું ખૂબ મહત્વ છે. મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની પૂજા ભગવાન શિવની મૂર્તિ કરતાં વધુ ફળદાયી કેમ માનવામાં આવે છે અને તેની પાછળનું શું મહત્વ છે. 

શિવલિંગની પૂજા શા માટે જરૂરી છે?
દંતકથા અનુસાર, ભગવાન શિવ પ્રથમ વખત અગ્નિસ્તંભના રૂપમાં એટલે કે ફાલ્ગુન મહિનાની ચતુર્દશી એટલે કે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. શિવલિંગના રૂપમાં જ ભગવાન શિવ ભગવાન વિષ્ણુ અને બ્રહ્મદેવને પ્રગટ થયા. આ જ કારણથી મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની મૂર્તિની પૂજા કરતાં શિવલિંગની પૂજા વધુ મહત્વપૂર્ણ અને ફળદાયી માનવામાં આવે છે.

શિવપુરાણમાં પાર્થિવ શિવલિંગને ભગવાન શિવની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
શ્રાવણ સોમવાર વ્રત દરમિયાન ઘરમાં માટીથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. સ્વાસ્થ્યનું વરદાન મળે છે.
જો તમે આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો શ્રાવણના દરેક સોમવારે પાર્થિવ શિવલિંગ બનાવી તેની વિધિવત પૂજા કરો અને બીજા દિવસે તેને પવિત્ર નદીમાં પ્રવાહિત કરો.
શિવપુરાણમાં લખ્યું છે કે પાર્થિવની પૂજા કરવાથી તમામ દુ:ખોનો નાશ થાય છે. ભગવાન શિવની કૃપાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે.

કેટલા પ્રકારના હોય છે શિવલિંગ
ચાંદીનું શિવલિંગ
સુવર્ણ શિવલિંગ
ફૂલોનું શિવલિંગ
રુદ્રાક્ષ શિવલિંગ
પાર્થિવ શિવલિંગ
પારદ શિવલિંગ
સ્ફટિક શિવલિંગ
કપૂર શિવલિંગ
ખાંડની મીઠાઈથી બનેલું શિવલિંગ

શિવલિંગની પૂજા કરવાથી શું ફાયદો થાય છે?
- અખંડ પુણ્યની પ્રાપ્તિ થાય છે
- અરુચિનું તત્વ જાગૃત થાય છે
- વ્યક્તિ આધ્યાત્મિકતા તરફ આગળ વધે છે
- મનોકામનાઓ પૂર્ણ થાય છે
- મનમાં સકારાત્મકતા આવે છે
- નકારાત્મકતા અને ભયથી મુક્તિ મળે છે
- વ્યક્તિ આધ્યાત્મિક રીતે શુદ્ધ થાય છે
- મગજના તરંગો પ્રભાવિત થાય છે અને બુદ્ધિ તેજ થાય છે
- દાંમ્પત્ય જીવનમાં મધુરતા આવે છે
- અકાળ મૃત્યુ જેવો યોગ નથી બનતો
- માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે
-  જીવનમાં સમૃદ્ધિ આવે છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news