આ ગામમાં આજે પણ પથ્થરના ખાસ પ્રકારના વાસણોમાં ભોજન પીરસાય છે

Rajasthan News : રાજસ્થાનના ડોરોલી ગામમાં આવેલા હનુમાન મંદિરમાં આજે પણ પથ્થરના વાસણોમાં ભોજન પીરસવામાં આવે છે... આ પરંપરા આજે પણ જીવંત છે 
 

આ ગામમાં આજે પણ પથ્થરના ખાસ પ્રકારના વાસણોમાં ભોજન પીરસાય છે

Hanumanji temple stone utensils : એક સમયે માણસો પત્થરનો ઉપયોગ કરતા હતા, પરંતુ સમયચક્ર ફરતા ધાતુ શોધાઈ અને પત્થરનો ઉપયોગ બંધ થયો. માનવો માટે પથ્થર ઓજારથી લઈને ખોરાકમાં કામમાં આવતા હતા. પથ્થરના વાસણો બનાવીને તેમાં ખાવામાં આવતું હતું. પરંતુ ધાતુ શોધાતા જ કાળક્રમે આ પરંપરા બદલાતી ગઈ. હવે પથ્થરના વાસણો માત્ર મ્યૂઝિયમમાં જોવા મળે છે. પરંતુ રાજસ્થાનમાં એક ગામ એવું છે જ્યાં હજી પણ આ પરંપરા સચવાયેલી છે. રાજસ્થાનના રૈની તાલુકાના ડોરોલી ગામમાં આવેલા એક મંદિરમાં આજે પણ ભોજન બનાવવાથી લઈને પીરસવા માટે પથ્થરોના વાસણોનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતું હવે સમય સાથે પરંપરા થોડી બદલાી છે. 

પથ્થરો માટે ફેમસ છે આ ગામ
રૈની તાલુકાનું ડોરોલી ગામ ત્રણ બાજુથી પહાડીઓથી ઘેરાયેલું છે. અહી કાળા પથ્થરો ચારેતરફ જોવા મળશે. તેથી પથ્થરથી બનતી વસ્તુઓ અહીંના લોકોનો વ્યવસાય બની ગઈ છે. દૂરદૂરના લોકો અહીંના પથ્થરના બનેલા સામાનનું વેચાણ કરે છે. અંદાજે ત્રણ દાયકા પહેલા અહી પથ્થરથી બનેલા સામાનનો વ્યવસાય થતો હતો. અહીં રહેતા કારીગરો લોટ પીરસવાની ચક્કી, મસાલા પીરસવાની ચક્કી, બટાકા, ચકલા, લોટ બનાવવાના વાસણ વગેરે પથ્થરથી બનાવતા હતા. આ ગામમાં રહેતા કારીગરોએ પૈતૃકો પાસેથી કામગીરી શીખી હતી. અહી અનેક કારીગરો પત્થરના વાસણો બનાવતા હતા.  

જિલ્લા મુખ્યાલયથી 50 કિલોમીટર દૂર ડોરોલી ગામ આવેલું છે. આ ગામમાં ભોજન તૈયાર કરવાથી લઈને ખાવાનું પિરસવા સુધીમાં પથ્થરના વાસણોનો ઉપયોગ કરાતો હતો. જોકે, આ પરંપરાનો અસર હવેની જીવનશૈલી પર પણ પડ્યો છે. પરંતું અહી આવેલા હનુમાન મંદિરમાં આજે પણ આ પરંપરા જીવંત છે. 

સવામણીમાં ખાતા હતા પથ્થરના વાસણોમાં ભોજન
ડોરોલી ગામમાં એક પ્રાચીન હનુમાન મંદિર આવેલું છે. ગામના લોકોની આ મંદિર પ્રતિ આસ્થા છે. લોકો અહીં સવામણી તેમજ અન્ય આયોજન કરવામાં આવે છે. આ મંદિર પર ચુરમા બાટી દાળ તૈયાર કરવા હનુમાનજીને ભોગ લગાવવાની પરંપરા રહી છે. અહી ભોજન કરવા માટે વિશેષ પ્રકારના પથ્થરના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. પથ્થરનું વાસણ વિશેષ પ્રકારનું હોય છે. જેમાં દાળ, શાક, ચુરમા અને અન્ય સામગ્રી રાખવા માટે પથ્થરમાં અલગ અલગ ખાડા બનાવવામાં આવ્યા છે.

લોકો આ જ પથ્થરના વાસણમાં ચુરમા બાટીનું ભોજન કરતા હતા. ખાસ બાત એ છે કે, ધાર્મિક આયોજનોમાં લોકો આ પ્રકારના પથ્થરના વાસણોનો ઉપયોગ કરે છે, તેને જાતે જ સાફ કરીને તેનો ઉપયોગ કરે છે. તેનો લાભ એ થાય છે કે, કાર્યક્રમોમાં લોકો ખાવાના વાસણોની  અલગથી વ્યવસ્થા કરવામાં આવતી નથી. આજે પણ આ પરંપરા યથાવત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news