15 વર્ષ બાદ નજીક આવશે રાહુ અને બુધ દેવ, આ જાતકોનું ચમકી જશે ભાગ્ય, કરિયરમાં પ્રગતિનો યોગ

Rahu Budh Yuti: વૈદિક જ્યોતિષ અનુસાર બુધ અને રાહુની યુતિ બનવા જઈ રહી છે. જેનાથી કેટલાક જાતકોને લાભ મળી શકે છે. જાણો બે ગ્રહોની યુતિથી કયાં જાતકોને ફાયદો થશે. 

15 વર્ષ બાદ નજીક આવશે રાહુ અને બુધ દેવ, આ જાતકોનું ચમકી જશે ભાગ્ય, કરિયરમાં પ્રગતિનો યોગ

Rahu Budh Yuti Effects: વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરે છે અને અન્ય ગ્રહો સાથે સંયોગ બનાવે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે રાહુલ ગ્રહ અત્યારે મીન રાશિમાં ગોચર કરી રહ્યાં છે. આ સાથે 7 માર્ચે બુધ ગ્રહ મીન રાશિમાં ભ્રમણ કરવા જઈ રહ્યાં છે. જેનાથી મીન રાશિમાં રાહુ અને બુધની યુતિ બનશે. તમને જણાવી દઈએ કે રાહુ અને બુધ ગ્રહ લગભગ 15 વર્ષ બાદ નજીક આવી રહ્યાં છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ લોકોને શેર, સટ્ટા અને લોટરીમાં ધનલાભ થઈ શકે છે. આવો જાણીએ તે રાશિઓ વિશે...

કુંભ રાશિ
કુંભ જાતકો માટે બુધ અને રાહુની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિના ધન અને વાણી સ્થાન પર બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. સાથે કોરાબારમાં તમે કોઈ મોટી ડીલ કરી શકો છો. તમારા માટે આર્થિક લાભનો યોગ બની રહ્યો છે. આ સમયે તમારી વાણીનો પ્રભાવ જોવા મળશે. જેનાથી લોકો પ્રભાવિત થશે. તો વેપારીઓને આ સમયે ઉધાર આપેલા નાણા પરત મળશે. આ સાથે તમારૂ કામ-કારોબાર વાણીથી જોડાયેલો છે, જેમ કે શિક્ષક, મીડિયા, બેન્કિંગ અને માર્કેટિંગ સાથે જોડાયેલો છે, તો આ સમય તમારા માટે લાભકારી રહેવાનો છે. 

મિથુન રાશિ
બુધ અને રાહુનો સંયોગ મિથુન રાશિના જાતકો માટે લાભદાયક સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના કર્મ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમે ધંધામાં સારી પ્રગતિ કરી શકો છો. તમને કરિયરમાં મોટી સફળતા મળવાની સંભાવના છે. જો તમે બિઝનેસ કરો છો તો તમને સારુ પરિણામ મળશે અને પ્રગતિ થશે. નોકરી કરતા જાતકોને આ દરમિયાન પ્રમોશન મળી શકે છે. આ સમયમાં તમારા પિતા સાથે સંબંધ મજબૂત થશે. તમને પૈતૃક સંપત્તિમાંથી લાભ મળી શકે છે. 

કર્ક રાશિ
તમારા માટે રાહુ અને બુધનો સંયોગ શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિના નવમ ભાવ પર બનવા જઈ રહી છે. તેથી તમને ભાગ્યનો સાથ મળશે. સાથે ધર્મ કર્મ પ્રત્યે તમારૂ રૂચિ વધશે. આ સમયમાં તમે કે તમારા પરિવારમાંથી કોઈ વિદેશ યાત્રા પર જઈ શકે છે. આ દરમિયાન તમારી યોજનાઓ સફળ થશે. સાથે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. નવુ કાર્ય શરૂ કરવા માટે આ અનુકૂળ સમય છે. વિદ્યાર્થીઓને આ સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news