Vastu Tips: તમારા ઘરની બાલ્કનીમાં લગાવો આ છોડ, ઘરની સુંદરતા વધશે અને દુર થશે પૈસાની તંગી

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં એવા છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે લગાવવાથી તમારી બાલ્કનીની સુંદરતા તો વધશે જ સાથે ધનનો વરસાદ પણ થશે. કારણ કે આ છોડ ઘર માટે શુભ માનવામાં આવે છે.

Vastu Tips: તમારા ઘરની બાલ્કનીમાં લગાવો આ છોડ, ઘરની સુંદરતા વધશે અને દુર થશે પૈસાની તંગી

Vastu Shastra for Plants: ઘર આંગણું હોય કે બાલ્કની, લોકો ઘરને સજાવવા, તેમને લીલુંછમ રાખવા અને તેની સુંદરતા વધારવા માટે વૃક્ષો અને છોડ લગાવે છે. પર્યાવરણને શુદ્ધ રાખવામાં વૃક્ષો અને છોડ પણ મહત્વનો ભાગ ભજવે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા શુભ છોડ વિશે જણાવવામાં આવ્યું છે, જેને ઘરમાં લગાવવાથી ઘરમાં ધનનો વરસાદ થાય છે અને તંગી દૂર થાય છે. તેનું કારણ એ છે કે આ છોડ એ પૈસાને આકર્ષે છે. તેથી, તમારે આ છોડને તમારી બાલ્કનીમાં લગાવવા જોઈએ.

ઘરમાં રૂપિયાનો વરસાદ કરે છે આ છોડ

આ પણ વાંચો:

મની પ્લાન્ટઃ મની પ્લાન્ટનું નામ મની સંબંધિત છોડમાં પ્રથમ આવે છે. તેને સંપત્તિનો છોડ પણ કહેવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આર્થિક પ્રગતિ અને સકારાત્મકતા માટે ઘરમાં મની પ્લાન્ટ લગાવવો શુભ માનવામાં આવે છે. આ છોડથી ક્યારેય ધનની કમી નહીં રહે અને ઘરનો ધન ભંડાર ભરેલો રહેશે.

તુલસીનો છોડઃ તુલસીનો છોડ ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે તુલસીનો છોડ બાલ્કનીની ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. તેનાથી આર્થિક સ્થિતિ ઝડપથી મજબૂત થશે.

દૂબ ઘાસઃ વાસ્તુ અનુસાર દૂબનો છોડ ઘરના આંગણા કે બાલ્કનીમાં લગાવવો જોઈએ. જ્યાં પણ દૂબનો છોડ હોય ત્યાં ક્યારેય પૈસાની કમી નથી પડતી અને ઘરમાં શુભ આશિષ બની રહે છે.

આ પણ વાંચો:

કનેરનો છોડઃ વાસ્તુશાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મીને સફેદ કનેરના ફૂલ ચઢાવવાથી તે પ્રસન્ન થાય છે. કહેવાય છે કે કનેરના ફૂલની સુગંધ ઘરમાંથી ગરીબી દૂર કરે છે.

જેડ પ્લાન્ટ: જેડ પ્લાન્ટને ક્રાસુલા ઓવાટા પણ કહેવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની સાથે સાથે ફેંગશુઈમાં પણ તેને ખૂબ જ ચમત્કારિક છોડ માનવામાં આવે છે, જે ધનને આકર્ષિત કરનાર છોડ હોવાનું કહેવાય છે. તેમજ તેને ઘરે લગાવવાથી સકારાત્મક ઉર્જા વધે છે.

(Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે Zee24 kalak કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news