કળિયુગમાં પણ થાય છે ચમત્કાર! હનુમાનજીની આંખમાંથી નીકળ્યા આંસુ, વીડિયો થયો વાયરલ

Tears in Hanumanji Statue : વલસાડના અઢીસો વર્ષ જૂના હનુમાન મંદિરમાં હનુમાનજીની પ્રતિમાના આંખમાંથી વહી પડ્યા આસું.... લોકોની ભીડ જોવા માટે ઉમટી પડી.. જુઓ વિડીયો

કળિયુગમાં પણ થાય છે ચમત્કાર! હનુમાનજીની આંખમાંથી નીકળ્યા આંસુ, વીડિયો થયો વાયરલ

Valsad News ઊમેશ પટેલ/વલસાડ : શ્રદ્ધા હોય ત્યા પુરાવાની કોઈ જરૂર નથી. કળિયુગમાં પણ ચમત્કાર થાય છે. ત્યારે વલસાડના એક હનુમાન મંદિરમાં ચમત્કાર થયો છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે સારંગપુર કષ્ટભંજન હનુમાન દાદાનો રથ પહોંચતા ચમત્કાર જોવા મળ્યો હતો. 250 વર્ષ જુના હનુમાન મંદિર ખાતે રથ પહોંચતા જ હનુમાનજીની પ્રતિમામાંથી આસું નીકળી પડ્યા હતા. હનુમાનજી રડી પડતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર ખાતે દર્શન કરવા પહોંચી રહ્યાં છે. વલસાડ

સારંગપુર કષ્ટભંજન હનુમાનજીદાદા મંદિરના 175 વર્ષની શતામૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર ગુજરાતભરમા હનુમાનદાદા પોતાના રથના સથવારે વિચરણ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા દક્ષિણ ગુજરાતમાં પ્રવેશેલ આ રથ આજે 31 તારીખે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આવી પહોંચ્યો. અહીંના ત્રણ દરવાજા ખાતે પહેલા ભવ્ય સ્વાગત આરતી બાદ રથ  નગરના વિવિધ વિસ્તારોમાં વિચરણ કરતા કરતા નગરના વિવિધ ફળીયા શેરીઓમાં દાદાના રથ ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. સાથે સમૂહ પ્રાર્થના અને પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) October 31, 2023

 

ધરમપુરના પૌરાણિક 250 વર્ષ જુના હનુમાન ફળીયા ખાતે આવેલ હનુમાન મંદિર કે જ્યાં ભગવાન સ્વામી નારાયણ ખુદ 21 દિવસ સુધી રોકાઈ પૂજા અર્ચના કરતા હતા, એ મંદિરમાં વિશેષ રૂપે આ રથ લઈ જવામાં આવ્યો હતો. ત્યારે આ મંદિરના હનુમાનજીની મૂર્તિ અચાનક અશ્રુભીની થતા અહીંના હનુમાનજી અને કષ્ટભંજન હનુમાનજી દાદાના મિલન થયું હતું. અહીંના હનુમાનજીની આંખોમાંથી પડતા પાણીનો પ્રવાહ પણ કેમેરામાં કેદ થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news