Rathyatra: રથયાત્રા પહેલાં કેમ નીકળે છે જળયાત્રા? સાબરમતીના જળથી જ કેમ કરાય છે ભગવાનનો જળાભિષેક?

Rathyatra Jalyatra: વર્ષોથી પરંપરાગત રીતે ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બીજના રોજ નીકળે છે, પરંતુ જેઠ સુદ પૂનમે યોજાતો જળયાત્રા મહોત્સવ રથયાત્રાનું સૌપ્રથમ ચરણ છે. ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓ પૈકીની મુખ્ય યાત્રા એવી જળયાત્રાને ખૂબ ધામધૂમથી ઊજવાય છે. સતયુગમાં બદ્રીનાથજી, ત્રેતાયુગમાં રામેશ્વર, દ્વાપરયુગમાં દ્વારકાધીશ તેમ જ કળીયુગમાં જગન્નાથજીનો મહિમા અપરંપાર છે. 

Rathyatra: રથયાત્રા પહેલાં કેમ નીકળે છે જળયાત્રા? સાબરમતીના જળથી જ કેમ કરાય છે ભગવાનનો જળાભિષેક?

Rathyatra Jalyatra/ઝી બ્યૂરો, અમદાવાદઃ રથયાત્રાએ માત્ર કોઈ એક દિવસનો પર્વ નથી પણ રથયાત્રાએ વિવિધ પૂજનવિધિનો સમૂહ અને ભગવાનનો એક વિશાળ મહોત્વ છે. રથયાત્રાના મહોત્સવની શરૂઆત જ જળયાત્રાના પર્વથી થાય છે. એટલે જ દર વર્ષે ભગવાન જગન્નાથના જળાભેષિકથી રથયાત્રાના પવિત્ર મહોત્સવનો શુભારંભ કરવામાં આવે છે. દર વર્ષે જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો વિધિવત્ પ્રારંભ થાય છે. આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પૂર્વેની જળયાત્રા યોજાઈ રહી છે. જાણો રથયાત્રા પહેલા નીકળતી જળયાત્રાની રસપ્રદ કહાની...

વર્ષોથી પરંપરાગત રીતે ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બીજના રોજ નીકળે છે, પરંતુ જેઠ સુદ પૂનમે યોજાતો જળયાત્રા મહોત્સવ રથયાત્રાનું સૌપ્રથમ ચરણ છે. ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓ પૈકીની મુખ્ય યાત્રા એવી જળયાત્રાને ખૂબ ધામધૂમથી ઊજવાય છે. સતયુગમાં બદ્રીનાથજી, ત્રેતાયુગમાં રામેશ્વર, દ્વાપરયુગમાં દ્વારકાધીશ તેમ જ કળીયુગમાં જગન્નાથજીનો મહિમા અપરંપાર છે. 

રથયાત્રાનો પહેલો પડાવ એટલે જળયાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે આજ રીતે જગન્નાથ મંદિરથી વાજતે-ગાજતે, ઢોલ-નગારાં, કરતાલ, પખવાજ, મૃદંગ, શરણાઇના સૂર તેમજ ધજા-પતાકા, બેન્ડવાજા, હાથી, બળદગાડા, ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો સાથે જળયાત્રા નીકળી સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોંચે છે. દર વર્ષની જેમ જ આ વર્ષ એ પણ સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન આયોજિત કરવામાં આવ્યું છે. ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરી જળયાત્રા સવારે 10 વાગે મંદિરે પરત ફરશે અને પછી મંદિરમાં લગભગ એક કલાક સુધી ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરાશે. જળાભિષેક દરમિયાન સાધુ-સંતો અને ભાવિક ભક્તજનોની હાજરીમાં જગન્નાથજીના ગગનભેદી જયકારો સાથે મૂર્તિઓને દૂધથી કેસર સ્નાન કરાવાય છે. 

જળયાત્રા માં શું હશે ખાસ?

  • જળયાત્રામાં સામેલ થનારા ત્રણેય બળદ ગાડાંના સુશોભન માટે ચંદરવા જગન્નાથ પુરીના કારીગરોએ કર્યો તૈયાર
  • કારીગરો ચંદરવો બનાવવા રંગીન દોરા તેમજ ઊનનો પણ ઉપયોગ કરાય છે
  • જે કળશમાં જળ લાવવામાં આવશે તેને પણ કારીગરો દ્વારા સુશોભિત કરવામાં આવે છે.
  • તાંબા અને પિત્તળના કળશની સફાઇ કરીને સ્વચ્છ કરાય છે અને ગજરાજ પર વિશાળ કળશ મૂકીને પવિત્ર જળ લાવવામાં આવે છે.
  • જળયાત્રામાં પણ ગજરાજની ઉપસ્થિતિનું અનેરું મહત્વ છે. ગજરાજોને શણગારવામાં આવે છે.
  • જળયાત્રામાં ફરીથી આ વર્ષે શણગારેલા બળદગાડા, હાથી, પાલખી અને ભજન મંડળીઓ પણ જોડાશે
  • જળાભિષેક બાદ ગજવેશમાં પ્રભુનાં દર્શન આપશે

જગન્નાથ કેમ ધારણ કરે છે ગજવેશ?
જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજીનું ષોડષોપચાર પૂજન અર્ચન કરીને પ્રભુને શૃંગારમાં ગજવેશ ધારણ કરાવવામાં આવે છે. ભગવાનનાં ગજવેશ સાથે જોડાયેલી માન્યતાની વાત કરીએ તો, જેઠ સુદ પૂર્ણિમાએ ભગવાનનાં "ગજવેશ"નાં શણગારનાં દર્શન થાય છે. ગુજરાતનો એક ગણેશ ભક્ત ગણપતિ નામનો હતો અને તે બે મહિના પગપાળ ચાલીને જગન્નાથજી મંદિર ગયો હતો. તેને ગણેશજીનાં બદલે જગન્નાથજીનાં દર્શન થતા તેને લાગ્યું કે, આ ભગવાનનાં હોય અને તેણે અન્ન-જળનો ત્યાગ કર્યો. જ્યારે "જયેષ્ઠાભીષેક" થયો, ત્યારે તેને ગણેશ સ્વરૂપનાં દર્શન થયા. ત્યારથી જ વર્ષમાં એક વખત ભગવાન ગજવેશમાં દર્શન આપે છે.

જળયાત્રા નીજમંદિરથી નીકળીને સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે પહોંચશે. સાબરમતીમાં સોમનાથ ભુદરના આરે પહોંચશે જળયાત્રા, 108 કળશમાંથી સાબરમતી નદીના નીર ભરવામાં આવશે. અહીં ગંગા પુજન કરાશે. જગન્નાથ સાબરમતીમાં વિહાર કરશે. જળ મંદિરે લઈ જવાશે અને ત્યાર બાદ ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર પર તેનાથી જળાઅભિષેક કરવામાં આવશે.  મહાપ્રસાદ રાખવામાં આવે છે. ભંડારો રખાય છે. ભગવાન ભક્તોને ગજવેશમાં દર્શન પણ આપે છે. 

ગજવેશ ધારણ કર્યા બાદ ત્યારબાદ બપોરે મંદિરમાં ભંડારો પણ આયોજિત કરવામાં આવે છે. જગન્નાથજી મંદિરમાં તો જળયાત્રા વિશિષ્ટ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે, નવરત્ન દીવડાથી પ્રભુની આરતી ઉતાર્યા બાદ ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી તેમના મોસાળ મામાના ઘરે સરસપૂરમાં પધારે છે અને તે સમયે ભગવાનના વિગ્રહનાં દર્શન થતાં નથી, પરંતુ તેમની તસવીરનાં દર્શન થાય છે.

રથયાત્રા પહેલાંની પહેલી મહત્ત્વની વિધિ એટલે જળયાત્રાઃ
શું છે જળયાત્રાનું મહત્ત્વ?
શાસ્ત્રોમાં લખેલું છેકે, નર્મદાના જળથી દરેક તિર્થોનું મંત્રો દ્વારા આવાહન કરવામાં આવે છે. દરેક તિર્થોનું આવાહન કરવામાં આવે છે. એ જળથી ભગવાનના પરિવારો અભિષેક કરાય છે. સ્નાન કર્યા પછી ભગવાન મોસાળમાં પધારે છે. આ કળશથી મહંત ભગવાનનો જળાભિષેક કરે છે.

અમૃત કળશનું પૂજનઃ
દેવતાઓ અને દાનવો વચ્ચે થયેલાં સમુદ્ર મંથનમાંથી નીકળેલાં અમૃત કળશનું પૂજન કરવામાં આવશે. દરેક તિર્થોનું એમાં આવાહન થયું હતું. તેનાથી પણ ભગવાનનો જળાભિષેક થશે. પછી રથયાત્રાના ક્રમની શરૂઆત થાય છે.

ગજવેશની વિધિ કેમ કરાય છે?
ભગવાન આજના દિવસે ગણપતિ સ્વરૂપે આજે ભક્તોને દર્શન આપે છે. ભગવાન જગન્નાથજી ભક્તોના મનોવલિશ કામના જે ભક્તોની કામનાને નારાયણે આ રીતે પુરી કરી હતી. ત્યારથી એ ક્રમ ચાલતો આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news