2025 સુધી આ 3 રાશિવાળા ધનમાં આળોટશે, રાહુ-ગુરુ,શનિ એવી કૃપા વરસાવશે કે માલામાલ બની જશો!

જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવગ્રહ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. આ ગ્રહોના રાશિ પરિવર્તન પર દરેક રાશિના જાતકોના જાવનમાં કોઈને કોઈ પ્રભાવ જરૂર પડે છે. વર્ષ 2023માં શનિ ગુરુની સાથે સાથે રાહુએ પણ રાશિ પરિવર્તન કર્યું છે. આ ગ્રહોનું ગોચર 2025 સુધી દરેક રાશિના જાતકોના જીવન પર જોવા મળશે.

2025 સુધી આ 3 રાશિવાળા ધનમાં આળોટશે, રાહુ-ગુરુ,શનિ એવી કૃપા વરસાવશે કે માલામાલ બની જશો!

જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવગ્રહ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. આ ગ્રહોના રાશિ પરિવર્તન પર દરેક રાશિના જાતકોના જાવનમાં કોઈને કોઈ પ્રભાવ જરૂર પડે છે. વર્ષ 2023માં શનિ ગુરુની સાથે સાથે રાહુએ પણ રાશિ પરિવર્તન કર્યું છે. આ ગ્રહોનું ગોચર 2025 સુધી દરેક રાશિના જાતકોના જીવન પર જોવા મળશે. વર્ષ 2024-25 સુધી કઈ રાશિઓ પર મહેરબાન રહેશે ગુરુ શનિ અને રાહુ તે  ખાસ જાણો. 

મેષ રાશિ
મેષ રાશિનાજાતકો માટે વર્ષ 2025 સુધીનો સમય ખુબ સારો  રહેવાનો છે. આ રાશિમાં ગુરુ પોતાની સ્વરાશિ એટલે કે મેષ રાશિમાં મે 2024 સુધી બિરાજમાન રહેશે. ત્યારબાદ વૃષભ રાશિમાં બિરાજમાન થશે. ગુરુના લગ્ન  ભાવમાં હોવાના કારણે મેષ રાશિના જાતકોના અટકેલા કામો પૂરા થશે. ભાગ્યનો પૂરો સાથ મળશે. આ સાથે જ શનિનો એકાદશ ભાવમાં હોવાના કારણએ આર્થિક સ્થિતિ મજબૂત થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. રાહુ વિદેશયાત્રાનો યોગ બનાવી રહ્યો છે. પરંતુ તેમાં વધુ ખર્ચો થઈ શકે છે. આ સાથે જ કોઈ છૂપાયેલા દુશ્મન વિશે તમે જાણી શકો છો. 

વૃષભ રાશિ
વર્ષ 2025 સુધી વૃષભ રાશિના જાતકોને ખુબ લાભ મળી શકે છે. શનિ કર્મક્ષેત્રમાં રહેશે. આવામાં કરિયરમાં પ્રગતિ થશે. અનેક મોટી જવાબદારીઓ મળી શકે છે. જેને તમે કડક મહેનતથી કરશો અને ઉન્નતિ તરફ અગ્રેસર રહેશો. આ સાથે જ ગુરુ વ્યય ભાવમાં રહેશે. આવામાં વાહન, સંપત્તિ, ઘર વગેરેમાં વધુ પૈસા ખર્ચાઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. આકસ્મિક ધનલાભ થશે. આધ્યાત્મ તરફ ઝૂકાવ વધશે. શનિની કૃપાથી તમને લાભ જ લાભ થશે અને સાથે દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. 

સિંહ રાશિ
સિંહ  રાશિના જાતકોને પણ 2024-25માં ખુબ લાભ મળી શકે છે. શનિ તમારી રાશિમાં સપ્તમ ભાવમાં બિરાજમાન છ. આવામાં આ રાશિના જાતકોને બિઝનેસમાં અપાર સફળતા મળવાના એંધાણ છે. કાર્યક્ષત્રમાં મોટી જવાબદારી તમને મળી શકે છે. આ સાથે જ તમારે વધુ મહેનત કરવી પડશે. મે 2024માં વૃષભ રાશિમાં ગુરુના દશમ ભાવમાં આવવાથી ખુબ લાભ મળવાનો છે. તમારા દ્વારા કરાયેલી મહેનતનું પૂરેપૂરું ફળ મળી શકે છે. ગુરુના ભાગ્ય ભાવમાં હોવાથી તમે ભાગ્યશાળી રહેશો. આ સાથે જ ધાર્મિક કે પછી વિદેશ પ્રવાસ કરવાની તક મળશે. ઉચ્ચ શિક્ષણના અવસરો મળશે. રાહુ તમને આકસ્મિક ધનલાભની સાથે કરજથી છૂટકારો પણ અપાવશે. અપરીણિતોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news