Krishna Mantra: જન્માષ્ટમી પર કરો શ્રીકૃષ્ણના આ શક્તિશાળી મંત્રોનો જાપ, જે કામ કરશો તેમાં મળશે સફળતા

Powerful Krishna Mantra: દર વર્ષે ધામધૂમથી દેશભરમાં ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે લોકો ઉપવાસ કરે છે અને ભગવાન શ્રીકૃષ્ણની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે. આ વર્ષે તમે પણ જ્યારે તમારા ઘરે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો ત્યારે પૂજા દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણના આ અતિ પ્રિય અને શક્તિશાળી મંત્ર તેમજ શ્લોકનો જાપ કરવાનું ન ચૂકતા. 

Krishna Mantra: જન્માષ્ટમી પર કરો શ્રીકૃષ્ણના આ શક્તિશાળી મંત્રોનો જાપ, જે કામ કરશો તેમાં મળશે સફળતા

Powerful Krishna Mantra: ભગવાન વિષ્ણુએ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે ધરતી ઉપર શ્રીકૃષ્ણ તરીકે અવતાર ધારણ કર્યો હતો. શ્રાવણ મહિનાની આઠમના દિવસે રોહિણી નક્ષત્રમાં માતા દેવકીના ગર્ભથી શ્રીકૃષ્ણએ ધરતી પર અવતાર લીધો હતો. ભગવાન શ્રીકૃષ્ણએ અસત્ય અધર્મ અને પાપનો અંત કરવા માટે જન્મ લીધો હતો. 

અધર્મી રાજા કંસ થી બચાવવા માટે શ્રીકૃષ્ણને જન્મની સાથે જ તેના પિતા વાસુદેવ તેમને ગોકુલના રાજા નંદને સોંપી દીધા હતા. ગોકુલમાં રહીને શ્રીકૃષ્ણએ પોતાના બાળ અવતારમાં અનેક લીલાઓ કરી હતી. શ્રીકૃષ્ણના ચમત્કાર અને તેમની લીલાઓ પાછળ લોકો માટે એક સંદેશ છુપાયેલો હતો. 

આ પણ વાંચો:

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને આજ સુધી દર વર્ષે ધામધૂમથી દેશભરમાં ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે લોકો ઉપવાસ કરે છે અને ભગવાન શ્રીકૃષ્ણની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે. આ વર્ષે તમે પણ જ્યારે તમારા ઘરે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો ત્યારે પૂજા દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણના આ અતિ પ્રિય અને શક્તિશાળી મંત્ર તેમજ શ્લોકનો જાપ કરવાનું ન ચૂકતા. 

ભગવાન શ્રીકૃષ્ણના આ શક્તિશાળી અને ચમત્કારી શ્લોકનો જન્માષ્ટમીના દિવસે જાપ કરવાથી શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે અને મનોકામના પૂર્ણ કરે છે.

શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવાના ચમત્કારી મંત્રો

ૐ નમો :ભગવતે વાસુદેવાય 

કૃં કૃષ્ણાય નમ:

ૐ ક્લીમ કૃષ્ણાય નમ:

ૐ શ્રી નમ: શ્રીકૃષ્ણાય પરિપૂર્ણતમાય સ્વાહા

ૐ દેવિકાનન્દનાય વિધમહે વાસુદેવાય ધીમહિ તન્નો કૃષ્ણ: પ્રચોદયાત્

ગોકુલ નાથાય નમ:

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news