આ ટોટકા છે રામબાણ, કર્યાની સાથે જ થાય છે અસર, જીવનની સમસ્યાઓ થશે દૂર

Astro Tips: મનોકામના પૂર્તિ માટે અલગ અલગ ઉપાયો ધર્મગ્રંથોમાં દર્શાવવામાં આવ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં એવા કેટલાક ટોટકાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને કરવાથી વ્યક્તિનું ભાગ્ય પણ બદલી શકે છે. જીવનમાં આવેલી સમસ્યાઓ નો અંત આ ઉપાયો કર્યાની સાથે આવી શકે છે. આ ટોટકા ને જ્યોતિષશાસ્ત્રમાં અચૂક કહેવામાં આવ્યા છે. 

આ ટોટકા છે રામબાણ, કર્યાની સાથે જ થાય છે અસર, જીવનની સમસ્યાઓ થશે દૂર

Astro Tips: શાસ્ત્રોમાં ભગવાનને પ્રસન્ન કરવા માટેના કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મનોકામના પૂર્તિ માટે અલગ અલગ ઉપાયો ધર્મગ્રંથોમાં દર્શાવવામાં આવ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં એવા કેટલાક ટોટકાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને કરવાથી વ્યક્તિનું ભાગ્ય પણ બદલી શકે છે. જીવનમાં આવેલી સમસ્યાઓ નો અંત આ ઉપાયો કર્યાની સાથે આવી શકે છે. આ ટોટકા ને જ્યોતિષશાસ્ત્રમાં અચૂક કહેવામાં આવ્યા છે. 

પાંચ અચૂક ટોટકા

આ પણ વાંચો:

1. જો તમારા જીવનમાં ધનની ખામી હોય અને તમારા કાર્ય અટકી જતા હોય તો કાળા મરીના પાંચ દાણા લઈને તેને પોતાના માથા ઉપરથી સાત વખત ઉતારો. ચાર દાણા ને ચાર દિશામાં ફેંકો અને પાંચમા દાણાને આકાશમાં ઉછાળો. 

2. એકાદશીના શુભ મુહૂર્ત પર સવારના સમયે માતા દુર્ગાને જાસુદનું ફૂલ અર્પણ કરો અને દૂધથી બનેલી મીઠાઈ ધરાવો. તેનાથી પણ ધનની આવક વધે છે.

3. રોજ સાંજે મંદિરમાં આવેલા પીપળાના ઝાડની નીચે દેશી ઘી નો દીવો કરવો તેનાથી જીવનની સમસ્યા દૂર થાય છે અને ધનલાભ મળે છે.

4. જો જીવનમાં કોઈને કોઈ કારણોસર ચિંતા ની સ્થિતિ રહેતી હોય તો રોજ સવારે શિવલિંગ પર પાણીમાં કાચું દૂધ ઉમેરીને શિવજીનો અભિષેક કરો તેનાથી બધી જ ચિંતા ઓ નું નિવારણ થાય છે. 

5. જીવનમાં આવેલી સમસ્યાઓને દૂર કરવા માટે પીપળાના પાનમાં રામ નામ લખી તેના ઉપર દૂધથી બનેલી મીઠાઈ રાખી હનુમાનજીને ધરાવો. તેનાથી જીવનમાં આવેલા દુઃખ દૂર થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news