આ 6 કારણોથી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને નથી મળતી નોકરી

Education News in Gujarati : ભારતમાં દર વર્ષે લગભગ 1.5 મિલિયન એન્જિનિયરિંગ સ્નાતક તૈયાર થઈ રહ્યાં છે. આ આંકડો વર્ષ 2021 સુધીનો છે. ડિસેમ્બર 2023ના રિપોર્ટ અનુસાર તેમાંથી માત્ર 10 ટકા ગ્રેજ્યુએટને ચાલૂ નાણાકીય વર્ષમાં નોકરી મળવાની આશા છે. આવું કેમ થઈ રહ્યું છે. તેની પાછળના 6 કારણો અમે તમને જણાવી રહ્યાં છીએ..

એન્જિનિયરોને નથી મળી રહી નોકરી

1/7
image

બાળપણથી તમે એકવાર જરૂર સાંભળ્યું હશે કે... મારો પુત્ર કે પુત્રી એન્જિનિયર, ડોક્ટર કે આઈએએસ અધિકારી બનશે. તેમાં એન્જિનિયરિંગને વધુ સીરિયલી લેનારાની સંખ્યા હંમેશાથી વધારે રહી. તેની પાછળનું કારણ છે કે એક સમય હતો જ્યારે એન્જિનિયરિંગ સેક્ટરમાં નોકરીની ભરમાર હતી અને આ પ્રોફેશનમાં આવવું એક સન્માનજનક વાત સમજવામાં આવી હતી. સન્માન તો હજુ પણ છે, પરંતુ હવે નોકરી નથી. વર્ષ 2023નો રિપોર્ટ્સ જણાવે છે કે એન્જિનિયરિંગ કરનાર માત્ર 10 ટકા વિદ્યાર્થીઓ નોકરી પાકી કરી રહ્યાં છે. ત્યાં સુધી કે આઈઆઈટીથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારને પણ નોકરી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તેની પાછળ શું કારણ હોઈ શકે, આવો જાણીએ.

સ્કિલ મેચ નથી કરતી

2/7
image

હકીકતમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા છતાં જ્યારે વિદ્યાર્થીઓ નોકરી માટે કંપનીઓ પાસે પહોંચે છે તો કંપનીઓને તેમાં તે સ્કિલ જોવા મળતી નથી, જે નોકરી માટે જરૂરી છે. આ કારણે ઘણા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ડિગ્રી મળી જાય છે, પરંતુ સ્કિલ ન હોવાને કારણે નોકરી મળી શકતી નથી. 

કેમ્પસ પ્લેસમેન્ટ

3/7
image

પરંપરાગત રૂપથી આઈઆઈટી જેવી મોટી સંસ્થાઓમાં ઉચ્ચ પગારવાળી નોકરી પ્લેસમેન્ટ થઈ રહ્યાં છે. પરંતુ એન્જિનિયરિંગ સ્નાતકની વધતી સંખ્યાએ સ્પર્ધા વધારી છે, જેનાથી બધા વિદ્યાર્થીઓ માટે ઈચ્છિત નોકરી મેળવવી પડકારજનક બન્યું છે. 

સોફ્ટ સ્કિલ

4/7
image

 

જ્યારે ટેકનિકલ પ્રાવીણ્ય આવશ્યક છે, નોકરીદાતાઓ વધુને વધુ મજબૂત સોફ્ટ કૌશલ્ય ધરાવતા ઉમેદવારોને શોધી રહ્યા છે જેમ કે કોમ્યુનિકેશન, ટીમ વર્ક અને સમસ્યાનું નિરાકરણ. ઘણા એન્જિનિયરોમાં આ કૌશલ્યોનો અભાવ હોય છે, જે તેમની રોજગારતાને અવરોધે છે.

આર્થિક મંદી

5/7
image

આર્થિક ઉતાર-ચઢાવ અને ઉદ્યોગની પ્રાથમિકતાઓમાં ફેરફાર એન્જિનિયરો માટે નોકરીની ઉપલબ્ધતાને પ્રભાવિત કરી શકે છે. એટલે કે આઈટી અને ઈ-કોમર્સ જેવા ક્ષેત્ર, જે ક્યારેક મુખ્ય ભરતીકર્તા હતા, મંદીનો અનુભવ કરી રહ્યાં છે, જેનાથી નોકરીની તક પ્રભાવિત થઈ રહી છે.   

વધતી અપેક્ષાઓ

6/7
image

એન્જિનિયરિંગ સેક્ટરમાં ઉચ્ચ પગારની અપેક્ષા પણ તેનું કારણ છે. આ તેને નોકરી બજારમાં ઓછા પ્રતિસ્પર્ધી બનાવી શકે છે. ખાસ કરી આર્થિક મંદી દરમિયાન.

 

સીમિત ઉદ્યોગ અનુભવ

7/7
image

ઘણા એન્જિનિયરિંગ કાર્યક્રમોમાં પર્યાપ્ત ઉદ્યોગ અનુભવ અને વ્યાવહારિક તાલીમનો અભાવ હોય છે, જેનાથી સ્નાતકો માટે પ્રોફેશનલ ભૂમિકાઓમાં સરળતાથી ફેરફાર કરવો મુશ્કેલ બને છે.