16 સપ્ટેમ્બરથી આ જાતકોના સિતારા ચમકશે, સૂર્યના ગોચરથી ધન-સંપત્તિમાં થશે વધારો, કરિયરમાં પ્રગતિનો યોગ

Surya Gochar 2024: ગ્રહોના રાજા સૂર્ય જલ્દી કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. સૂર્ય ગોચરની અસર દરેક રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ મેષ સહિત ત્રણ રાશિઓ એવી છે, જેને ખુબ લાભ મળવાનો છે. આવો તેના વિશે જાણીએ...

સૂર્ય ગોચર

1/5
image

ગ્રહોના રાજા સૂર્ય 16 સપ્ટેમ્બરે સાંજે 7 કલાક 52 મિનિટ પર કન્યા રાશિમાં પ્રવેશ કરશે. મહત્વનું છે કે આ રાશિમાં પહેલાથી શુક્રની સાથે કેતુ બિરાજમાન છે. તેવામાં ત્રિગ્રહી યોગની સાથે શુક્રાદિત્ય યોગનું નિર્માણ થઈ રહ્યું છે. સૂર્ય ગોચરની અસર દરેક લોકો પર પડે છે. સૂર્ય ગોચરને કારણે ત્રણ રાશિના જાતકોને મોટો લાભ થવાનો છે. આ જાતકોને કરિયરમાં સફળતા મળશે. આ દરમિયાન તમારી આવકમાં પણ વધારો થશે. આવો જાણીએ સૂર્ય ગોચર કયાં જાતકો માટે ભાગ્યશાળી રહેશે.

મેષ રાશિ

2/5
image

આ રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન કરવું લાભદાયક સિદ્ધ થઈ શકે છે. આ રાશિમાં સૂર્ય છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરવાનો છે. તેવામાં આ રાશિના જાતકોને તેની મહેનત પ્રમાણે જરૂર ફળ મળશે. સાથે કરિયરમાં સ્થિરતા બનેલી રહેશે. તમારા કામથી ઉચ્ચ અધિકારીઓ પ્રસન્ન થશે. તેવામાં તમારી પ્રશંસા કરવામાં આવશે. બની શકે તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમને અનેક સ્ત્રોતથી ધન પ્રાપ્ત થઈ શકે છે. તમારૂ સ્વાસ્થ્ય પણ સારૂ રહેવાનું છે. બની શકે કે તમારા બાળકોના સ્વાસ્થ્ય પર વધુ ખર્ચ થાય. અશુભ સ્થિતિથી બચવા માટે  ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો.  

મિથુન રાશિ

3/5
image

આ રાશિના જાતકો માટે પણ સૂર્યનું રાશિ પરિવર્તન અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિના ચોથા ભાવમાં સૂર્ય બિરાજમાન રહેશે. તેવામાં આ રાશિના જાતકોને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. તમારી ખુશીઓ વધી શકે છે. જે જાતક વિદેશમાં નોકરી કરવા માટે ખુબ મહેનત કરી રહ્યાં છે, તેને સફળતા હાસિલ થઈ શકે છે. આ સાથે તમને ધનલાભ થઈ શકે છે. સૂર્યદેવની કૃપાથી તમને વેપારમાં ખુબ લાભ મળશે. તમે તમારૂ લક્ષ્ય હાસિલ કરી શકો છો. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. તમે નાણાની બચત કરવામાં સફળ થી શકો છો. સ્વાસ્થ્ય સારૂ રહેશે. જીવનસાથી સાથે કોઈ ટ્રિપ પર જઈ શકો છો. અશુભ પરિણામો માટે દરરોજ 21 વખત  ૐ ગુરૂવે નમઃ મંત્રનો જાપ કરો.

ધન રાશિ

4/5
image

ધન રાશિના જાતકો માટે સૂર્યનું કન્યા રાશિમાં જવું લાભદાયક સાબિત થઈ શકે છે. આ રાશિમાં સૂર્ય દશમ ભાવમાં ગોચર કરશે. તેવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા હાસિલ થઈ શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલા કામ, મહેનતનું ફળ હવે તમને મળશે. નોકરી કરનાર જાતકો માટે સૂર્યનું ગોચર ખુશીઓ લઈને આવવાનું છે. નવી નોકરી શોધી રહેલા જાતકોને સફળતા હાસિલ થઈ શકે છે. આ સાથે તમે તમારા કામથી સંતુષ્ટ થઈ શકો છો. વેપારમાં નવી રણનીતિઓ બનાવી શકો છો. તેના આધાર પર તમને લાભ મળી શકે છે. તમે તમારા પ્રતિસ્પર્ધિને ટક્કર આપશો. આર્થિત સ્થિતિ સારી રહેવાની છે. તમારી સુખ-સુવિધામાં વધારો થશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થવાનો છે. સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડવાનો છે. અશુભ પ્રભાવોથી બચવા માટે શનિ દેવની પૂજા કરો.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.