100 વર્ષ બાદ નજીક આવશે સૂર્ય અને શુક્ર દેવ, આ જાતકોની પ્રગતિનો ખુલી જશે માર્ગ, ધનલાભ પણ થશે

Surya Nakshatra Parivartan: સૂર્ય દેવ અને શુક્ર દેવની યુતિ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં બનવા જઈ રહી છે. આ બે મોટા ગ્રહોની યુતિથી કેટલાક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. તેને કામ-કારોબારમાં સફળતા મળી શકે છે. 
 

સૂર્ય-શુક્ર આવશે નજીક

1/5
image

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ સમય-સમય પર ગોચર કરી નક્ષત્ર પરિવર્તન કરે છે. સાથે તે એક નક્ષત્રમાં પણ યુતિનું નિર્માણ કરે છે, જેનો પ્રભાવ માનવ-જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે સૂર્ય ગ્રહ 30 સપ્ટેમ્બરે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરવાના છે, જ્યાં પહેલાથી શુક્ર બિરાજમાન છે. તમને જણાવી દઈએ કે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં આ યુતિ આશરે 100 વર્ષ બાદ બની રહી છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે ધન-સંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે...

કન્યા રાશિ

2/5
image

તમારા લોકો માટે શુક્ર અને સૂર્ય દેવનો સંયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. સાથે આ સમયમાં તમને નવા અને સારા પ્રોજેક્ટ મળશે અને તે સમય તમારા જીવનમાં સકારાત્મકતા વધારવાનો છે. નોકરીમાં કામની સારી તક મળશે અને અચાનક અટવાયેલા પૈસા મળી શકે છે. આ દરમિયાન અચાનક ધનલાભનો યોગ પણ બની રહ્યો છે. સાથે તમારી ઈચ્છાઓ પૂરી થશે. તમે નાણાની બચત કરવામાં સફળ રહેશો.

ધન રાશિ

3/5
image

શુક્ર અને સૂર્યની યુતિ ધન રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે. આ સમયમાં તમારી આવક વધી શકે છે. સાથે આવકના નવા સ્ત્રોત બની શકે છે. તમે નાણાની બચત કરી શકશો અને બિઝનેસમાં ઘણો લાભ થશે. તમારા જીવનમાં પ્રગતિ માટે નવા માર્ગ ખુલશે અને તમારી યોજનાઓ સફળ થશે. આ દરમિયાન તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. આ સમયમાં તમને વાહન અને પ્રોપર્ટીનું સુખ પ્રાપ્ત થઈ શકે છે. વેપારીઓને આ સમયમાં સારો ધનલાભ થઈ શકે છે. સાથે નવા ઓર્ડર મળી શકે છે.   

વૃષભ રાશિ

4/5
image

તમારા લોકો માટે શુક્ર અને સૂર્યનો સંયોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. તમારી કાર્ય કરવાની શૈલીમાં સુધાર થશે. આ સમયે તમારા અટવાયેલા કામ પૂરા થશે અને સંતાનની પ્રગતિથી ખુશ થશો. આ સમયમાં તમે લોકપ્રિય થશો. સાથે માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. આ સમયમાં તમારી દૈનિક આવકમાં વધારો થશે. આ સમયે નોકરી કરનાર લોકોને કાર્યસ્થળ પર કોઈ નવી જવાબદારી મળી શકે છે.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.