Surya Ketu Yuti: 16 સપ્ટેમ્બરથી ચમકશે આ 6 રાશિઓનું ભાગ્ય, સૂર્ય-કેતુની યુતિ ચારેકોરથી કરાવશે લાભ

Surya Ketu Yuti: 16 સપ્ટેમ્બરે સૂર્ય ગ્રહ ગોચર કરશે. 16 સપ્ટેમ્બરે સાંજે 7 કલાક અને 52 મિનિટે સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરશે. કન્યા રાશિમાં પહેલાથી જ કેતુ બિરાજમાન છે. જેના કારણે સૂર્ય અને કેતુની યુતિ સર્જાશે. આ યુતિ 17 ઓક્ટોબર 2024 સુધી રહેશે. આ સમય 6 રાશિના લોકો માટે લાભકારી સાબિત થશે. 

મેષ રાશિ

1/7
image

મેષ રાશિના લોકો માટે સૂર્ય અને કેતુની યુતિ લાભકારક રહેશે. કામકાજમાં પ્રગતિ થશે. આવકમાં વૃદ્ધિ થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. 16 સપ્ટેમ્બરથી રોજ સૂર્યને જળ અર્પણ કરવાથી લાભ થશે. 

કર્ક રાશિ 

2/7
image

નોકરી કરતા લોકોને સૂર્ય અને કેતુની યુતિ ફાયદો કરાવશે. નોકરીમાં પદમાં વૃદ્ધિ સાથે સમાજમાં નવી ઓળખ મળશે. આર્થિક તંગીથી છુટકારો મળશે. પરિવારમાં પ્રેમ વધશે. 

સિંહ રાશિ

3/7
image

સિંહ રાશિના લોકો માટે પણ સૂર્ય અને કેતુની યુતિ પ્રગતિના યોગ સર્જનાર હશે. વિદેશ યાત્રા પર જઈ શકો છો. સમાજમાં નામના વધશે. નોકરી કરતા લોકો માટે સારો સમય. જીવનસાથી સાથે મધુરતા વધશે. 

તુલા રાશિ

4/7
image

તુલા રાશિના લોકો માટે પણ સૂર્ય અને કેતુની યુતિ સફળતા અપાવનાર સાબિત થશે. જે કામ હાથમાં લીધું હશે તે પૂરું કરશો અને સફળતા પણ મળશે. આવકમાં વૃદ્ધિ થવાના નવા રસ્તા ખુલશે. 

ધન રાશિ

5/7
image

ધન રાશિ માટે પણ સૂર્ય અને કેતુની યુતિ લાભકારી રહેશે. સૂર્યને જળ અર્પણ કરવાથી લાભ થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. વેપારીઓનો નફો વધશે. દિવસ રાત પ્રગતિ થશે. વાણીથી લોકોનું દિલ જીતશો. 

કુંભ રાશિ 

6/7
image

સૂર્ય અને કેતુની યુતિ આ રાશિના લોકોને નવી ઓળખ અપાવશે. પ્રમોશન મળી શકે છે. આવકમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. બેદરકારી હાનિકારક સાબિત થઈ શકે છે. આર્થિક તંગીથી છુટકારો મળી શકે છે.  

7/7
image