જેવા શનિ કુંભમાંથી નીકળશે કે આ 3 રાશિવાળાનું ભાગ્ય ઊઘડી જશે, વિચાર્યું પણ નહીં હોય તેવો બંપર ધનલાભ થશે

ન્યાયના દેવતા તરીકે જેમની ગણના થાય છે તે શનિદેવ વર્ષ 2025માં કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર કરશે. જેના કારણે કેટલીક રાશિઓના સારા દિવસો શરૂ થઈ શકે છે....

1/5
image

વૈદિક જ્યોતિષ મુજબ શનિ દેવ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લે છે. આવામાં દરેક રાશિમાં તેઓ ફરીથી લગભગ 30 વર્ષ બાદ પ્રવેશ કરે છે. અત્રે જણાવવાનું શનિદેવ 2025ની શરૂઆતમાં મીન રાશિમાં પ્રવેશ કરશે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું ભાગ્ય ચમકી શકે છે. નોકરીની સાથે સાથે વેપારમાં પણ પ્રગતિ થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે...  

કુંભ રાશિ

2/5
image

કુંભ રાશિવાળા માટે શનિદેવનું ગોચર લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી ધન અને વાણીના ભાવ પર ગોચર કરશે. આથી આ દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભના યોગ છે. તમારી વાણીનો પ્રભાવ વધશે. તમને નવા અને સારા પ્રોજેક્ટ મળશે અને આ સમય તમારા જીવનમાં સકારાત્મકતા વધારનારો હશે. નોકરીમાં કામની સારી તકો મળશે અને તમારા અટકાયેલા પૈસા અચાનક મળી જશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. સાહસ અને પરાક્રમમાં વધારો જોવા મળશે. 

વૃષભ રાશિ

3/5
image

શનિદેવનું કુંભમાંથી મીન રાશિમાં ગોચર એ વૃષભ રાશિવાળા માટે ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી ગોચર કુંડળીના આવક અને લાભના સ્થાન પર ગોચર કરવા જઈ રહ્યા છે. આથી આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આ સમય દરમિયાન તમારા માટે આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. તમે ધનની બચત કરી શકશો અને બિઝનેસમાં પણ તમને અનેકગણો લાભ થશે. તમારા જીવમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે અને તમારી યોજનાઓ સફળ થશે. રોકાણથી લાભ થશે. આ સમય દરમિયાન શેર બજાર, સટ્ટા અને લોટરીમાં લાભ થઈ શકે છે. 

મિથુન રાશિ

4/5
image

મિથુન રાશિવાળા શનિનું રાશિ પરિવર્તન લાભપ્રદ સાબિત થઈ શકે છે. કારણ કે આ ગોચર તમારી રાશિથી કર્મ ભાવ પર  થવા જઈ રહ્યુ છે. આથી આ દરમિયાન તમને કામકાજમાં સારી એવી પ્રગતિ થઈ શકે છે. કરિયરમાં અચાનક ગ્રોથ મળશે અને તમારા પગારમાં વધારો થશે. તમારા વેપારને આગળ વધારવાની તક મળશે. વેપારમાં ખુબ નફો થઈ શકે છે. નોકરીયાતો મટે કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. ઓફિસમાં તમારા કામને પસંદ કરાશે અને તમારી લોકપ્રિયતા વધશે. પિતા સાથે સંબંધ મજબૂત થશે.   

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.